________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી સાસુ... વગેરેની સાથે વાતામાં પસાર થતો. નગરના શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠીકુમારો, રાજ્યના અધિકારીઓ વગેરે પણ મળવા આવતા. તેમની સાથે પણ ઘણી વાતો થતી.
મયણાના સહચર્યમાં રાત્રિ ખીલી ઊઠતી! જાણે હવે મારા માટે રાત્રિ રહી જ ન હતી! અખંડ દિવસ જ હતો! ચોવીસ કલાક ઉજાસ! પર્યકર્મ ઉદારતાથી મારા પર સુખનાં પુષ્પો વરસાવી રહ્યું હતું. મારી આસપાસ મારા પર પ્રેમ વરસાવનારા કેટલાંય સ્વજનો-પરિજનો અને નગરજનો હતાં. એમાં ય રાજા પુણ્યપાલનો પનોતા પુત્ર અશ્વિની તો સાગના ઝાડ જેવો સીધો, ઊંચા દંડ જેવો રુઆબદાર દેખાતો હતો! એ મને ખૂબ ગમતો. એ છોકરો વ્યાયામપ્રેમી, સ્વચ્છ, નિર્મળ અને નફિકરો જીવ હતો! મારો જાણે નાનો ભાઈ! શરીરે હૃષ્ટપુષ્ટ હતો. એના પ્રેમાળ સ્વભાવના કારણે સૌને એ વહાલો થઈ પડ્યો હતો.
ક્યારેક રાજા પુણ્યપાલ કે મહામંત્રી સોમદેવ મારી સાથે રાજકારણની ચર્ચા કરતા. પયપાલ મને કહેતા “શ્રીપાલ, હજી તમને રાજનીતિનું કશું જ્ઞાન નથી. રાજનીતિ એટલે કપટનીતિ! ત્યાં ભાવુકતા ચાલે નહીં. રાજકારણીઓનાં મન જંગલી ઘૂસના દર જેવાં હોય છે. એનું દર ક્યાંથી શરૂ થાય છે ને ક્યાં જાય છે, એની કોઈને જાણ હોતી નથી, તેમ રાજકારણીઓનાં મન કળી શકાતા નથી.”
મને આ વાતો સાંભળીને, મારી માતાએ કહેલી મારા કાકા અજિતસેનને પર્યંત્રની વાત યાદ આવતી. મારું મન વિચારોમાં અટવાઈ જતું. નિયતિએ માનવને જીવન શા માટે આપ્યું હશે? જાતે બળીને, ખાખ થઈને જગતને ઉજાળવા માટે કે પોતાના તુચ્છ સુખને ખાતર બીજાઓને નિર્દયતાથી સળગાવી દેવા માટે? માણસને પ્રેમ અને સભાવથી જીવવું કેમ નહીં ગમતું હોય? તો પછી જીવનો મૂળ સ્વભાવ કયો? પ્રેમ કે ક્રૂરતા? પ્રકૃતિએ જ, કર્મોએ જ માણસમાં ક્રૂરતા પેદા કરી હશે ને? “દેહમાં આત્મા છે', એમ ઘણી વાર મયણા કહે છે. તો પછી ક્રૂરતા, દ્વેષ, અસૂયા, વેર... આ બધા આત્માના ભાવો હશે? મયણા “ઔયિક ભાવો”ની વાત કરતી હતી. જો એમ જ હોય તો પછી માણસનો શો દોષ? કે પછી આ બધા મનના ભાવો છે? મન કેટલું મોટું રહસ્ય આ બે અક્ષરોમાં છુપાયેલું છે?
મયમાં
૨૬૩
For Private And Personal Use Only