________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવશ્ય આ પુણ્યશાળી પુરુષ નીરોગી બનશે.
મયણા, તું તો જિનમતની જ્ઞાતા છે. તું જાણે છે અમારા શ્રમણોના આચાર-વિચાર. અમારાથી ગૃહસ્થો માટે ઔષધોપચાર કે મંત્ર-તંત્ર-યંત્રના પ્રયોગો ન બતાવાય. પરંતુ તારો આ પતિ ભવિષ્યમાં જિનધર્મનો ઉદ્યોત કરનાર બનવાનો છે. આ પુરુષ જિનશાસનની મહામૂલ્યવાન સંપદા છે. આ મહાપુરુષ દ્વારા સર્વજ્ઞ શાસનની દેશ-વિદેશમાં શાન વધવાની છે. આ ઉત્તમ પુરુષનો અપૂર્વ અભ્યદય થવાનો છે, એટલે મેં શાસ્ત્રોનું પરિશીલન કરી સિદ્ધચક્ર મહામંત્ર” ઉદ્ધત કર્યું છે.
આ મહાયંત્રની આરાધના તમારે બંનેએ કરવાની છે. તે માટે તમારે ક્ષમાશીલ રહેવાનું છે. ઇન્દ્રિયોને શાંત રાખવાની છે. નવ દિવસ સુધી આરંભ-સમારંભ કરવાના નથી. બને એટલું મૌન રહેવાનું છે. તો જ આ મહાયંત્રની આરાધના થઈ શકશે.
મેં હાથ જોડી, મસ્તક નમાવી કહ્યું : “ગુરુદેવ, આપની આજ્ઞા મુજબ અમે મહાયંત્રની આરાધના કરીશું. આપ અમને એ મહાયંત્ર આપવાની કૃપા કરો અને ક્યારથી અને કેવી રીતે એની આરાધના કરવાની છે, એ સમજાવવાની કૃપા કરો.”
આચાર્યદેવે પોતાની સામે એક કાષ્ઠના બાજોઠ પર તામ્રપત્ર પર આલેખિત યંત્રને મૂક્યું. મયણાને સંબોધીને ગુરુદેવે યંત્રને સમજાવવાનો પ્રારંભ કર્યો :
ભદ્ર! આ સિદ્ધચક્ર મહામંત્ર છે. આ યંત્રના મધ્યભાગમાં અષ્ટદલ-કમલ હોય છે. તે કમળની કર્ણિકામાં “ૐ હ્રીં' મંત્ર બીજ સાથે અરિહંત પરમાત્માનો જાપ અને ધ્યાન કરવાનું છે. “ૐ' મોક્ષબીજ છે, “હ્રીં' માયાબીજ છે.
એ પૂર્વદલમાં સિદ્ધપદનું, દક્ષિણદલમાં આચાર્યપદનું, પશ્ચિમદલમાં ઉપાધ્યાયપદનું, ઉત્તરદલમાં સાધુપદનું, અગ્નિખૂણામાં દર્શનપદનું, નૈઋત્ય ખૂણામાં જ્ઞાનપદનું, વાયવ્ય ખૂણામાં ચારિત્રપદનું અને ઈશાન ખૂણામાં તપપદનું ધ્યાન કરવાનું છે. દરેક પદનો જાપ “ૐ હ્રીં' સાથે કરવાનો હોય છે.
આ અષ્ટદલકમલ, મહામંત્રનું પહેલું વલય કહેવાય. બીજું વલય સોળ પાંખડીનું હોય છે. તેમાં એક-એક દલના અંતરે
પ્રયા
૧૫
For Private And Personal Use Only