________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારી પાસે રાખો.” મેં એક સોનામહોરો ભરેલી થેલી તેમની સામે મૂકી
દીધી.
હવે પરમાત્માની પરમ કૃપાથી અને ગુરુદેવના પરમ આશીર્વાદથી તમારા રાણાનો રોગ થોડા જ દિવસોમાં મટી જશે, એવી મારી શ્રદ્ધા છે અને જે ઉપાયથી એમનો રોગ દૂર થશે, એ જ ઉપાયથી તમારા સહુનો કુષ્ઠરોગ દૂર કરવાની મારી ભાવના છે. માટે તમે સહુ આજથી “શ્રી ઋષભદેવાય નમ:' મંત્રનો ખૂબ જાપ કરજો. અવાર-નવાર અમે તમને મળતા રહીશું...”
થોડોક સમય ત્યાં રોકાઈને અમે પાછા નગર તરફ ચાલ્યા. જવાનસિંહ અમારી સાથે અમારા ઘર સુધી આવી ગયો.
૧૩૮
મયણા
For Private And Personal Use Only