________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાગશે અને તો ધર્મશાસનના આધારભૂત સાધર્મિકો પ્રત્યે પણ પ્રીતિ થશે. આ મારા પરમાત્માના શાસનના પ્રત્યે શ્રદ્ધા રાખનારા છે, મારા ભાઈઓ છે, મારી બહેનો છે, હું તેમની ભક્તિ કરું.’ આવો ઉલ્લાસ તમારા હૃદયમાં જાગવો જોઈએ. જો તમે શ્રાવક છો, શ્રીમંત છો અને તમારા નગરમાં દુઃખી સાધર્મિક હોય, તો તેનો ઉદ્ધાર કરવાની ભાવના તમારા હૃદયમાં જાગવી જોઈએ.
આચાર્યદેવની પ્રેરણા પામીને નગરના નગરશ્રેષ્ઠી પુણ્યધન ઊભા થયા અને ગુરુદેવને પ્રણામ કરી કહ્યું : “ગુરુદેવ, રાજકુમારી મયણાસુંદરીને હું નગરની બહાર જે મારું ઘર છે, તે રહેવા માટે ભેટ આપું છું. એની ઇચ્છા હોય એટલો સમય એ ઘરમાં રહે. પોતાનું ઘર માનીને રહે...'
અને હે માતાજી.’ મયણાએ પોતાની સાસુ કમલપ્રભાને કહ્યું : ગુરુદેવની પ્રેરણાનો સંકેત પામીને, એ બધાં સુખી શ્રીમંત શ્રાવકશ્રાવિકાઓ પોત-પોતાના ઘરે જઈને સુંદર વસ્ત્રો, અલંકારો... સોનામહોરો અને ઘરમાં આવશ્યક એવી બધી જ સામગ્રી લઈને આવ્યાં અને અમારી સામે ખૂબ પ્રેમ અને આદરથી ઢગલા કરી દીધા.'
વચ્ચે શ્રીપાલે કહ્યું : “હે માતા, એ બધું જોઈને હું તો મૂઢ જેવો બની ગયો હતો. રાજકુમારી પ્રત્યેનો લોકોનો એ પ્રેમભાવ, ગુરુદેવની અનુપમ કરુણા અને એ બધું અપૂર્વ વાતાવરણ.. ખરેખર મારું હૃદય ગદ્ગદ્ થઈ ગયું હતું.'
મયણાએ વાતનું અનુસંધાન કરતાં કહ્યું : “ગુરુદેવે અમને કહ્યું : હમણાં તમે તમારા નવા ગૃહમાં પ્રવેશ કરો. બધું વ્યવસ્થિત ગોઠવી દો. આવતી કાલે તમારે મારી પાસે આવવાનું છે. વર્લ્સ! તું ચિંતા ના કરીશ. તારા પર ભગવાન ઋષભદેવનો દિવ્ય અનુગ્રહ થયો છે. એટલું બધું શુભ જ થશે.”
અને હે માતાજી, અમે આ મકાનમાં રહેવા માટે આવી ગયાં. અમને અમારા સાધર્મિક ભાઈ-બહેનોએ એટલી બધી સામગ્રી અને ધન-સંપત્તિ આપી હતી કે અમારે અમારી આજીવિકાની કોઈ ચિંતા રહી ન હતી અને તે જ ગુરુદેવે અમને જ વિશિષ્ટ ધર્મઆરાધના બતાવી હતી, તે અમે નિશ્ચિત બનીને કરી શક્યાં અને કેવું સારું પરિણામ આવવું જોઈતું હતું તે પરિણામ આવ્યું. તમારો પુત્ર રોગમુક્ત બન્યો.
૧૩૪
મયણા
For Private And Personal Use Only