________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધચક્રજીનું ધ્યાન ધરવા માટે મન સ્વસ્થ અને નિર્મળ જોઈએ. તન સ્વસ્થ અને નિર્મળ જોઈએ, મન વિકલ્પોથી અને વિકારોથી રહિત હોય તો તે ધ્યાન કરવા માટે ઉપયુક્ત બને છે. તન વિષયભોગથી વિરક્ત હોય, પાંચેય ઇન્દ્રિયના વિષયોના ઉપભોગથી મુક્ત હોય તો તે ધ્યાન ધરવા માટે ઉપયુક્ત બને છે. એવી રીતે આસનની સ્થિરતા પણ જોઈએ.
આ રીતે શ્રી સિદ્ધચક્રજીની આરાધના કરી પરમ કલ્યાણ પામો, એ જ મંગલ કામના.”
વિવેચન પૂર્ણ થયું. અમે પ્રફુલ્લિત વદને ગુરુદેવને અને અન્ય મુનિવરોને વંદના કરી પોષધશાળામાંથી બહાર નીકળ્યાં.
માણસા
૧૯૯
For Private And Personal Use Only