________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વસમું હતું, છતાં આ સ્થળમાં એ પોતાની દુનિયા રચી શકતો. માણસો કરતાં જંગલનાં રાની પશુઓ ઓછાં હિંસક લાગતાં હતાં. રીંછ, વરુચિત્તો કે દીપડો ઓચિંતી તરાપ મારી જાય એ સમજાય એવું હતું, પણ માનવીની કૂરતાને એ કેમે ય જીરવી શક્યો ન હતો.
હમેશાં નગરોથી.. ગામોથી દૂર જંગલોમાં અમારો પડાવ રહેતો. કાકા શિખરસિંહે થોડું થોડું વાંચતાં-લખતાં શીખવ્યું હતું. બાકી તો કુમળાં હાડકાં દુઃખી આવે ને આંગળીઓ બહેર મારી જાય એટલું કામ કરવું પડતું હતું. હમેશાં અનાજની અછત રહેતી. એટલે ખેતરમાં સારી એવી મહેનત કરવી પડતી હતી. છતાં હું એ બધામાં રાજકુમાર હતો ને એટલે મને થોડી સગવડો વધારે મળતી હતી.
માનવસ્વભાવની એક વિચિત્ર ખાસિયત મને સમજાવા લાગી હતી. પૃથ્વી પરનાં પ્રાણીઓમાં એક માણસજાત જ એવી છે કે જે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ કે વાતાવરણને બહુ ઝડપથી અપનાવી લે છે. ગરમ પ્રદેશનું જનાવર ઠંડા પ્રદેશમાં જીવી શકતું નથી. ખુલ્લા ગગનમાં વિહરતાં પંખી પીંજરામાં ભાગ્યે જ બચ્ચાં પેદા કરી શકે છે. ખારા પાણીનાં માછલાં મીઠા પાણીમાં તરફડીને મરી જતાં હોય છે પણ માણસ તો ગમે તેવી હાડમારી કે હાલાકીને વશ થઈને જીવી જવાની પ્રકૃતિ ધરાવે છે! માનવી નામના પ્રાણીની આ મહાનતા હશે?
ભાદરવાના છેલ્લા દિવસો હતા, ક્ષિપ્રા નદીના તટ પર શીતળ અને પ્રસન્ન તેજસૃષ્ટિ પથરાઈ હતી. પીળી ચમેલી થોડી થોડી મહોરી હતી. આખા યે વિસ્તારમાં એની મહેક છવાઈ ગઈ હતી. પીચનાં વૃક્ષો પણ મહોરી ઊઠ્યાં હતાં. કોયલનું સંગીત આખો દિવસ ચાલુ રહેતું હતું. પારેવાંએ માળા નાંખ્યા હતા અને ઘૂ..ઘૂ..કરી એકમેકને બોલાવતાં હતાં. પ્રભાતનાં પ્રકાશ ઝળહળી રહ્યો હતો. હું એક વટવૃક્ષને અઢેલીને બેઠો હતો. ત્યાં પ્રભાતકાકા અને શિખરકાકા વગેરે દસપંદર મોટા પુરુષો મારી પાસે આવીને ઊભા. મેં ઊભા થઈ સહુને પ્રણામ કર્યા. એ બધા ત્યાં જ રેતીમાં બેઠા. હું પણ બેઠો. પ્રભાતકાકા બોલ્યા :
ઉંબરરાણા, કાલે સવારે આપણે ઉજ્જયિની નગરીમાં જવાનું છે.” “શા માટે?” પૂછ્યું.
મયણા
૧૦૩
For Private And Personal Use Only