________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણપક્ષ હતો. આકાશ હજુ નિરભ્ર થયું ન હતું. અવારનવાર વાદળાં જામતાં, વરસતાં હતાં. શરદની ચાંદની પણ દર વર્ષ જેવી સોહામણી બની ન હતી. જાણે તેની ચંદ્ર જેવી શીતળતાને કોઈએ રોકી લીધી હતી. ચંદ્ર ઢંકાયેલો ને તારા ધુમાયેલા દેખાતા હતા.
અમે અમારા નાનકડા છતાં સુંદર ઘરની બાલ્કનીમાં બેઠાં હતાં. મારી સાસુ રાણી કમલપ્રભા, એમના સુપુત્ર એટલે કે મારા પ્રિયતમ અને હું - અમે ત્રણેય બેઠાં બેઠાં વાતો કરતાં હતાં. મારી રાજસભાની વાત સાંભળી કમલપ્રભા ક્ષણભર થરથરી ગયાં હતાં. મેં મારી વાત આગળ ચલાવી.
ઉજ્જયિનીના રાજમહેલના આકાશમાં મેઘાડંબર જામી ગયો હતો. રાજહઠ, અહંકાર અને બદલાની ભાવનાએ મહારાજાને યમરાજ જેવું કુરૂપ આપ્યું હતું. તેમણે મારો પીછો પકડ્યો હતો. આખું નગર ડહોળાયું હતું. ઘેરાયેલાં વાદળ વધુ ઘેરાં બનતાં ચાલ્યાં હતાં. વરસવા પહેલાં પ્રલયંકર મેઘતાંડવ મંડાઈ ગયું હતું. મેં વિચાર્યું :
વાદળ ભલે ઘેરાયું. ઘેરાવા દે. વરસી જશે એટલે ફરીથી નિરભ્ર બનશે અને સત્યનો સૂર્ય સહસ્ત્રકિરણોથી ઝગમગી ઊઠશે.”
મારા મનોભાવ નદીનાં નીર જેવા સ્વચ્છ અને નિરભ્ર આકાશ જેવા શુભ્ર-શુચિ અને નિર્દોષ હતા. મારા મનમાં મારા પિતા પ્રત્યે કોઈ દ્વેષ નહોતો જભ્યો. તેમ છતાં હું સમજી ગઈ હતી કે હવે પિતાના પ્યાર ને વહાલની દુનિયામાંથી મેં વિદાય લીધી હતી. સુખ-દુ:ખ, શોક-ભય વગેરે બધી લાગણીઓને જાણે મેં દૂર હડસેલી મૂકી હતી.
સંધ્યાનો સમય હતો. ક્ષિપ્રા નદીના તટ પર આવેલા રાજપવનમાં હું વિહાર કરવા પહોંચી ગઈ. મારી સાથે મારી સખી લલિતા મૌનપણે ચાલી રહી હતી. ઉપવનમાં લતામંડપો હતા. તેમાં અનેક ભદ્રાસનો હતાં. એક ભદ્રા-સન પર હું બેસી ગઈ. લલિતા જમીન પર મારા પગ પાસે નતમસ્તકે બેઠી.
માણા
For Private And Personal Use Only