Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
->નાશ શશશ જહાજ જન્મજ - -
તે રામચન્દ્રસૂરીન્દ્ર ચરણે શીશ હું ઢાળી રહું * હશે જ જજ જ ર જ સ જજ જ
અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિએ આ સંસારનું યથાસ્થિત સ્વરૂપ વર્ણવતાં ફરમાવે છે કે અનાદિકાળથી આ સંસાર રાગ-દ્વેષનાં બળે જ ચાલી રહ્યો છે. જીવ માત્રના બે મહાન શત્રુઓ વિદ્યમાન હોય ત્યાં સુધી, એ જીવનાં દુઃખ ટળે નહિ અને એને મુકિત મળે નહિ. જગતના સર્વ જીવેની દુખી અવસ્થાનું મૂળ આ રાગ-દ્વેષ છે. એ રાગ-દ્વેષને જે જીતે તે જિન કહેવાય છે એવા જિન બને તેજે સર્વ દુ:ખથી મુક્ત બની સાચા સુખના ભકતા બને છે. તેથી જ, વિશ્વના જીવમાત્રને એવા જિન બનાવવાના જ એક માત્ર સર્વોચ્ચ આશયથી શ્રી જિનેશ્વર ભગવતે શ્રી જિનશાસનની સ્થાપના કરે છે. એ શ્રી જિનશાસનને મોક્ષમાર્ગ પણ કહેવાય છે. રાગદ્વેષને જીતવાનું અમેઘ સાધન એજ છે અને સાચા સુખી બનવાનો એક માત્ર ઉપાય પણ એજ છે.
ભાવદયાના સાગર એવા શ્રી જિનેશ્વરદે કેવળજ્ઞાન પામી તારક ધર્મ તીર્થની સ્થાપના કરે ત્યારથી પોતાના જીવનનાં અંત પર્યત નિરંતર બે પ્રહર સુધી ધર્મદેશના ધોધ વરસાવી જગતનાં જીવે ઉપર અનિર્વચનીય ઉપકાર કરે છે, એ પરમ તારકેનાં નિર્વાણ બાદ શ્રી ગણધર ભગવંતે અને ત્યાર બાદ તેમની પટ્ટ પરંપરામાં આવતા આચાર્ય ભગવંતે તેમના એ સર્વ જીવ હિતકારક પરમાર્થ કાર્યને અખલિતપણે ચાલુ રાખે છે, પૂ. આચાર્ય ભગવંતનાં “શુદ્ધ પ્રરૂપક ગુણને એક અસાધારણ ગુણ તરીકે શાસ્ત્રોમાં વર્ણવ્યો છે. અને એ ગુણના કારણે જ શાસ્ત્રકાર ભગવંતે એ એ સરિ ભગવંતેને “તીર્થકર સમાન કહીને બીરદાવ્યા છે. એ બતાવે છે કે પરમાત્મ શાસનને તેના શુદ્ધ સ્વરૂપે જગતના ભવ્ય જી સમક્ષ રજુ કરવાની આચાર્ય ભગવંતની આ એક મહાન જવાબદારી છે. એ પવિત્ર જવાબદારીને વહન કરવામાં એ મહાપુરુષોને માન-પાન, ખ્યાતિ-પ્રતિષ્ઠા અને અવસરે જાતનો પણ ભેગ આપવા તૈયાર રહેવું પડે છે. જેઓ જીવન પર્વત અણિશુદ્ધ રીતે એ જવાબદારીને વહન કરે છે, તેઓ જ શાસનના સાચા આરાધક રક્ષક અને પ્રભાવક બની શકે છે. ભગવાન શ્રી મહાવીર દેવનાં શાસનમાં આજ પર્યત એવા સંખ્યાબંધ આચાર્ય ભગવંતે થઈ ગયા, જેમણે એ પરમાત્માના કલ્યાણકારી શાસનને સુવિશુદ્ધ સ્વરૂપે આપણા સુધી પહોંચાડ્યું છે અને હવે પછી એજ રીતે પાંચમા આરાના છેડા સુધી એવું જ જયવંતુ રાખશે. - આપણું નજીકનાં ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ જે કઈ એવા શાસન રક્ષક અને પ્રભાવક મહાપુરુષો થયા તેમાં સાંપ્રતકાળે આ ભારત વર્ષની ભૂમિને પાવન કરતાં વિચરી રહેલા વ. પૂ. સિધ્ધાંત મહેથિ, કર્મ સાહિત્ય નિપૂણમતિ, સચ્ચારિત્ર