Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કાણુ શ્રેષ્ઠ ?
- સત્યમ્ એક ગામ. એમાં એક વાર એક મહાત્મા પધાર્યા. મહાત્મા ખૂબ વિદ્વાન હતા.
ગામલોકોએ એમને રોજ કથા કરવા વિનંતિ કરી. મહાત્માએ એ વિનંતિને R સ્વીકાર કર્યો.
એમને માટે ઈશ્વરનું નામ લેકે લેતાં થાય એ વાત ઘણી મોટી હતી. ઈશ્વરનું નામ લેવાથી માનવભવને ઉદ્ધાર થાય છે એવું તેઓ માનતા હતા. આથી તેમણે ગામલોકોને રોજ કથા સંભળાવવા માંડી. ગામ લે કેને પણ કથા સાંભળવામાં ખુબ મજા પડવા લાગી.
સાંજ પડે અને કથાનો સમય થાય કે ગામને ચેતરે લેકથી ભરાઈ જાય અને ૨ છે મહાત્મા પોતાની કથા શરૂ કરે.
આમ દસ બાર દિવસ ચાલ્યું. પણ એક દિવસ એક ઘટના બની.
ચોતરા પર લોકો બધા કથા સાંભળવા શાંતિથી બેઠા હતા. ટાંકણી પડે તેય એને ? અવાજ સંભળાય તેવી અગાધ શાંતિ.
પણ દસ પંદર મિનિટ થઇ કે ત્યાં એક કુતરો અચાનક આવી ચઢ.
તેણે ચિતરા પર થોડી વાર આમતેમ ફર્યા કર્યું અને છેવટે તે મહાત્મા જે આસન છે પર બેઠા હતા. તેના પર બેસી ગયા. કે મહાત્માએ તેને હાંકવાની જરા પણ કેશિશ કરી નહિ. તેમણે કુતરાને પ્રેમથી ૬
પિતાની પાસે બેસાડી રાખ્યો. 3 આ જોઈ એક ટીખળી સવભાવના માણસે મહાત્માને કહ્યું : “મહાત્માજી મારે આપને છે એક સવાલ પૂછવો છે. આપ જે રજા આપો તે આપને એક સવાલ પૂછું.' R મહાત્મા બેલેથા : બોલે, આપને શો સવાલ મને પૂછવાને છે ?' હું પેલા માણસે કહ્યું : “આપ અમને એ જણાવો કે શ્રેષ્ઠ કેણ-માનવ કે કુતરે?
મહાત્માએ ખુબ શાંતિથી આ સવાલનો જવાબ આપતાં કહ્યું : “જુઓ, માનવ હું રોજ ઈશ્વરનું નામ લે તે કુતરા કરતા એ શ્રેષ્ઠ ગણાય. પણ જો માનવદેહ મળ્યા છતાં { એ ઈશ્વરનું નામ ન લે તે એ કુતરા કરતાં પણ નપાવટ ગણાય. બીજા શબ્દોમાં કહ્યું છે છે તે માણસ હરિનામ ન લે તો એ કુતરા કરતાં પણ નીચી કેટિન ગણાય.”
મહાત્માના આ કથનનો ભાવાર્થ ગામલોકેને પૂરેપૂરી રીતે સમજાઈ થયો. તે દિવ8 થી ગામ લોકેએ ઇAવરનું નામ લેવાની પ્રતિજ્ઞા કરી.
(પગલી) {