Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ હજાર રૂ. વ પર તે પચીશ (૨૫) રૂ સાધારણ-શુભ ખાતામાં આપી દેવા. દરો
હજારે પચીશી વધારવી. મુંબઈના બધા જૈન કુટુંબે આ રીતના નકકી કરે તે શુભ ? છે ખાતાની ઉપજ કેટલી થાય? પછી મંદિર-ઉપાશ્રયના વ્યવસ્થાની ચિંતા રહે? E અહીંથી શરૂઆત કરે તે બધે અસર પડે ને ? પછી તે મોટા મોટા સંવાળા છે છે નાના-નાના સંઘને પણ સાચવી લે ને ? આ વાત સમજાય તે કેવું મજેનું કામ છે થઈ જાય ને ?
( ૨૦૨૯ શાન્તાક્રુઝ )
કામ – ક્રોધ આદિ અંતરંગ શત્રુઓ એ જ
ખરા દુશમનો છે.
–પૂ. મુનિરાજ શ્રી રત્નસેનવિજયજી મ. 8 બાહ્ય શત્રુઓને પેદા કરનાર પણ કામ-ક્રોધ-લેભ આદિ અંતરંગ શત્રુઓ જ છે.
અંતરંગ શત્રુઓને જીતનાર એ જ ખરેખર શુરવીર છે. બાહ્ય શત્રુઓને પણ ખતમ 3 હું કરનાર અંતરંગ શત્રુઓની આગળ હારી જતો હોય છે.
- રાવણ યુદ્ધભૂમિમાં અજોડ દ્ધા હતા પરંતુ સીતા પ્રત્યે એના હૃદયમાં કામવાસના હતી. રાવણ કામથી હારી ગયેલું હતું એટલે જ એને વિનાશ થયેલ.
કામ-ક્રોધ અને લેભ એ ત્રણ દે જીવનમાં અનેકવિધ સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. કામાઘતા, ક્રોધાવતા અને લેભાધતા અત્યંત ખતરનાક વસ્તુ છે.
આંખના અંધાપાથી જે નુકશાન થતું નથી, એના કરતાં અનેકગણું નુકશાન છે 5. કામના અંધાપાથી થાય છે.
કામ, ક્રોધ અને લેભમાં અંધ બનેલ માણસના વિવેકરૂપી ચક્ષુએ બીડાઈ જતા 4 છે હોય છે. વિવેક ચક્ષુ બીડાઈ જતા માણસ કર્તવ્ય-અકર્તાવ્ય, ભઠ્ય–અભય, પિયઅપેયના વિવેકને ભૂલી જતા હોય છે.
સંપૂર્ણ કામ-વિજેતા ન બની શકે તેય કામાંધ તે કયારેય નહિ બનવું જોઈએ.
એ “કામ” ઉપર વિજય મેળવવા માટે પવિત્ર મહાપુરૂષોના જીવનને આદર્શ બનાવવું જોઈએ.
ક્રોધ ઉપર વિજય મેળવવા માટે ક્ષમા ધર્મની આરાધના કરવી જોઈએ. લેભ ઉપર વિજય મેળવવા “સંતેષ ધર્મની આરાધના કરવી જોઈએ.