Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક).
કેટલા પગાર કે ખર્ચા કે લાભે છોડયા ? બાહય દૃષ્ટિએ જોઈએ તે પણ ત્યાગ વિરાગને મહિમા પ્રગટ છે અને આંતરિક દૃષ્ટિએ ત્યાગ વિરાગ એ તે મહાવૈભવ છે પરંતુ જે છે માત્ર ચિંતક છે પરંતુ તત્વના વિચારક નથી. માત્ર શબ્દના સાથી આ ચિતરે છે પણ ભાવનાના પ્રાણ પાથરતા નથી તેમને આ સમજાવું કઠીન છે. જેને શિક્ષણ સાહિત્ય પત્રિકામાં તંત્રી કાંતિલાલ સુખલાલ શાહ વિનયના પાઠ શીખવે છે કે ધીઠ્ઠાઈના?
૨૦૪૮ ફાગણ-ચૈત્રના આ પત્રિકાના અગ્રલેખમાં શ્રી કાંતિલાલ શાહે શ્રી ચંદ્રશેખર વિજયજી મ. ના “જે ધર્માત્થા શ્રાવકને મહા સંધ નહિ બને તો..” તથા “પંડિતજી પદ અને પચાસ હજાર રૂપિયા” આ બે લેખેનું સમર્થન કરીને મુનિવેષ છોડાવવાના પ્રોજટટમાં તેમને પંડિતે મળશે તેવા ભાવથી તે બંને લેખનું પ્રતિપાદન કર્યું છે.
કેઈ તેવા હોય તેને વ્યવસ્થા કરી આપે તે જુદી વાત છે પરંતુ આ રીતે જાહેરમાં ચિત્રામણ કરવું અને તેનું અનુમોદન કરવું તે કેટલું ઉચિત છે. ગૃહસ્થાના ઘરમાં કે વડિલે માં આવું હોય ત્યાં ગૃહસ્થાશ્રમ ન માંડવો, છુટાછેડા કરવા, બેને દીકરીઓને ઘરઘાવી દેવી તેવી કઇ વાત કરે છે? કેમ નહિ ? તે જાહેરાત કરવી તે અવિનય છે અને તકલીફમાં સહાય કરવી તે વિનય છે. એમ સાધુઓ માટે આવું છાપવું અને વ્યવસ્થા કરવાની વાત કરવી તે શ્રમણ સંઘની હીલના કરવા તુલ્ય છે. અવિનયને માગે છે. તેવાથી કદી શાસન કે ધર્મની સેવા થઈ શકે નહિ. ઉભેલી ડાળને કાપીને સ્થિર ન થવાય. તેમ વિજય માગને છોડીને ધર્મ પણ ન થાય. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. ને એ અનુભવ હોય તે યોગ્ય સહાય આદિ કરી છે પણ લેખ લખવા કે ભાષણ કરવાની કયાં જરૂર છે? આ તે બીજાને ઉતારી પાડવાને એક કિમી છે. વિશેષ તે એ છે કે શ્રી કાંતિલાલ શાહ જેવા શિક્ષણ પત્રિકામાં આવા તંત્રીલેખો લે તે બાળક ઉપર શું અસર કરે ? વધારે તે શું પરંતુ ધર્મની સેવાને નામે આવા રાજકારણીઓ ઉપાય અજમાવવા તે ધર્મની કુસેવા જ છે. આટલે બધ આ લેખના લેખક અને તંત્રીને સમજાય તે સારું કેમકે પૂ. યશ વિ. મ. સા. કહ્યું છે કે-ગુણ સ્તુતિ અવગુણ ઢાંકવાજી, કરી આશાતના હાણસમજો વિનય પ્રકાર.”
અરિહંત આદિ ૧૦ ના પાંચ પ્રકારે વિનય કરવાના છે તે સચ્ચકૃત્વ સપ્તતિકા આદિ દ્વારા જાણી સમજીને સાચે માગે ચલો એજ અભિલાષા. ગેલાણ (ખંભાત) ૨૦૪૮ અષાડ સુદ-૬
–જિનેન્દ્રસૂરિ -- * --