Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૪, અંક-: ૭ તા. ૫-૫-૯૨ :
L: ૮૭૭.
તના ચોગાનમાં “જય શ્રી વરીને શ્રી જૈન શાસનની સુવિહિત પ્રણાલિકાઓને ચરા ચાર ચાંદ લગાવ્યા તેને તે હવે જોટો જડવો મુશ્કેલ અતિ મુશ્કેલ છે. પૂજ્યશ્રીજીને જ આધાર માનનાર અને વફાદાર અને પૂજ્યશ્રીજીના નિકટ-તિનિકટ ગણાનાર દરેકે દરેક તેની પ્રાણના ભોગે પણ જાળવણી કરવી, તેમાં એક તસુ પણ ફેર ન કરે કે કઈ ફેર કરાવવા આવે તેવી વાત પણ સાંભળવી નહિ તે દરેક સુજાતે (શિ)ની અનિવાર્ય નહિ બલકે આવશ્યક ફરજ છે, જવાબદારી છે. તેમાં જરા પણ ખામી પોતાના આત્માની સાથે પૂ. ગુરુદેવશ્રીજના ગૌરવનું જ ખંડન છે તેઓ શ્રીજીની જેમ અતિજાત ન બનાય તો પણ સુજાત તે બનવું જ જોઈએ. એકતા, શાંતિ-સમતા'ના નામે સમાધાનવૃત્તિ રાખવી તે તે કાયરતાની નિશાની છે, તેવા ક્યારે કજાતમાં આવી જાય તે કહેવાય નહિ. - પૂજ્યશ્રીજીએ પ્રરૂપેલ–ાળવેલ-ક્ષેલ સન્માર્ગથી આત્મા જરા પણ ચુત ન થઈ જાય તેની બહુ જ સાવધગીરી રાખવી જરૂરી છે. સિદ્ધાતમાં મકકમ અને સાવધ રહેનાર આત્મા વડિલેનું ગૌરવ ઉજાળે છે, બાકીના તે નામને ય બ લગાવે છે.
જ્ઞાનદાતા ગુરુને લક્ષણોમાં “શુદ્ધ પ્રરૂપક” ગુણને અતિ મહત્તવને કહ્યો છે. શ્રી ઉપદેશમાલા-પુષ્પમાલા' ગ્રંથના રચયિતા પૂ. આ. શ્રી માલધારીય શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
“संविग्गा गीयत्था मज्झयो देसकालभावाणू । नाणस्स हाइ दाया जो सुद्धपरूवओ साहू ।। २० ।।
સંવિગ્ન, મધ્યસ્થ, દેશ-કાલ અને ભાવને જાણનાર, શુદ્ધકરૂપક ગુણવાળો જે સાધુ હોય છે તે જ સમ્યજ્ઞાનને દાત જાણ.
આ બધા ગુણેની સાથે, આ કલિકાળમાં “શુદ્ધ પ્રરૂપક ગુણ પ્રભાવક સામર્થ્યની રીતે તે પૂજયશ્રીજીમાં જ જોવા મલતે હતો તેમ કહેવું તે જરા પણ અયુકત નથી જ. અથ-કામની દેશનાને નશો પાઈને મહમૂઢ જીવોને ઉભાગે દોરી જનારા કેટલાકપિતાના કહેવાતા પણ વેષધારીઓથી રંધાઈ રહેલા મેહમાની નિભર્યપણે પ્રરૂપણ કરી. સુવિહિત સમાચારીઓનું સમર્થ પ્રતિપાદન કરી, આરાધના માર્ગની જયપતાકા જગતભરમાં લહેરાતી રાખવાનું શ્રેયસ્કર કામ આ જ પુણ્ય પુરુષના શિરે ચઢે તેવું છે. વિધિઓની તે ઠીક પણ નિકટતાઓની પણ ગાળ ખાઈને, અનેકના અપમાન-તિર
કાર, પુષ્પમાળાની જેમ પરિધારણ કરીને પણ સુવિશુદ્ધ આરાધનાનો માર્ગ જીવંત રાખ્યો છે. જિનાજ્ઞાના અવિહડ રાગની સાથે સાથે સિંહ સમી સારિવકતા, મકકમ મનોબળ, પોલાદી-નિર્ભય છાતી–આ પુણ્યપુરુષના જીવનના યશસ્વી કામોનું ઉજજવળ પાસું છે.