Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કથિdળી
સ્વર્યાધતા તજે ____ "सर्वः स्वार्थवशाज्जनोऽभिरम नो कस्य को वल्लभः ।" જગતના સઘળાય છે પોત-પોતાના સ્વાર્થની સિદ્ધિમાં જ આનંદ પામે છે. 8 બાકી કઈ કઈનો પ્રિય નથી.
મહાપુરુષે સંસારનું સત્ય સવરૂપ સમજાવ્યું છે બધા જ પોત-પોતાના સ્વાર્થમાં જ રાચે છે. સ્વાર્થ ન સરે ત્યાં સુધી સંપૂર્ણ આત્મીયતા બતાવે અને સ્વાર્થ સરે એટલે છે “ગરજ સરી અને વૈદ્ય વૈરી” જેવી સ્થિતિ બતાવે છે. આનું નામ જ સ્વાર્થોધતા છે. છે
આવી સ્થિતિ રહે ત્યાં સુધી જીવ ધર્મ કરવાને યોગ્ય તે નથી પણ વાસ્તવિક હિત છે છે પણ સાધવા લાયક નથી.'
જ્ઞાનીઓ જે કહે છે કે- આ સંસારમાં કેઈ, કેઈનું નથી. બધા પોતાનું કામ કરે ? * ત્યાં સુધી જ વહાલા–પ્રિય લાગે છે. કોઈ વાર કામ ન કરી શકયા તે વિચારે કે, 1 છે અમારી કંઈને કાંઈ પડી નથી, આટલું બધું કર્યું, આટલું ઘસાયા તે ય કાંઈ જ ! * હિંમત નથી. આ બધી વિચારણું સ્વાર્થોધતાની સૂચક છે.
આ જગતમાં કોઈને પણ કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રિય નથી પણ પિતાને કામમાં છે છે આવે ત્યાં સુધી જ તે વસ્તુ કે વ્યક્તિ પ્રિય લાગે છે. બાકી કહે કે “તમારા વિના તે ૪ જ ચાલે જ નહિ, એક ક્ષણ પણ જીવી ન શકીએ તે બધે સ્વાર્થ પ્રેરિત મોહને પ્રલા૫ છે.
છે. આવી દશા જીવંત હોય ત્યાં સુધી ઘર્મ સન્મુખ દષ્ટિ પણ જાય નહિ. છે માટે હે આત્મનું? તારે ખરેખર તારી દશા બદલવી હોય તે સ્વ. એટલે આમા ! છે અને તેને જે અર્થ તે સ્વાર્થ અર્થાત આત્માનું એકાન્ત જેનાથી હિત થાય તે જ છે | પરમાર્થિક સ્વાર્થ છે તેમાં ઉદ્યમશીલ બન.
- સ્વાર્થધતા સંસારનું સર્જન કરનાર છે, સ્વ અર્થ નિષ્ઠા આત્મ કલ્યાણને માર્ગ છે છે. તે પસંદગી કરી લે.
:
–પ્રજ્ઞાંગ