Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ૨૬ :
: પૂ.આ. શ્રી વિ રામચંદ્રસૂ. મ. સા. ના [ જૈન શાસન અઠવાડિક
- જ્યારે જ્યારે દુષ્કાળના કેરડા વિંઝાયા, ત્યારે આ મહાપુરુષના હૈયામાંથી એવી વાણીને સંચાર થતો કે દાનવીરે પાણીની જેમ ધનને સદવ્યય કરતા. જયારે પણ મહાત્સવ યોજાયા હોય ત્યારે પણ જીવદયાની મોટી ટીપે થતી. એકવાર આ મહા પુરુષે વેદના ઠાલવતા કહ્યું હતું કે માણસનું પેટ નહિ ભરાય, તે ભિખ માંગીને મેળવશે તેમ કરતાં નહિ મળે તે તે લુંટીને-મારીને પોતાનું પેટ ભરશે. પણ આ મુંગા-અબેલનિરાધાર પશુઓનું શું થશે ? તમારા હ યમાં શાસન વસી ગયું હોય, ભગવાનની કરૂણ વસી ગઈ હોય ? તમારી લક્ષમીની મુછ ઉતરી હોય? તે આવા પ્રસંગે પણ જેનો પાસે એટલી સંપત્તિ છે કે એક પણ જીવ મરે નહિ કસાઈખાને જાય નહિ. આવા પ્રસંગે જે તમારા હૈયામાં દયાનું ઝરણું વહેતું ન થાય તે શું થાય? પુણ્યશાળી હોય તેને જ લક્ષમી મળે અને જેની પાસે પુણ્યાનીબંધી પુણ્ય હોય તે જ સારા કાર્યોમાં વાપરી શકે. આવા જોરદાર-ચિંતને તેઓશ્રીના હૈયામાંથી છુટતા ને શ્રોતાઓ તેને વધાવી લેતા. મુંગા-અબેલ જી શાતાને અનુભવતા.
જૈન શાસનના એક સૂર્યનો ઉદયથી અસ્ત પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું જીવન બાળ ત્રિભુવનપાલથી મહારાજાધિરાજ વિજય રામચંદ્રસૂરીશ્વરજી ભગવાન મહાવીર સ્વામીની ૭૭ મી પાટે બિરાજમાન હતા જેમને દીક્ષા પર્યાય ૭૯ વર્ષને હતે. આચાર્ય પદ ઉપર ૫૬ વર્ષથી બિરાજતા હતા. આવા વિશિષ્ટ પર્યાયવાળા ભગવાન મહાવીર સ્વામી પછી આ મહાપુરૂષનું ૯ મું સ્થાન છે. ( રંગોળી )
૦ તેઓશ્રી બહુ તપ કરી શકતા નહિ. પણ જ્યારે જયારે નવકારશી કરે ત્યારે કપાળે ત્રણ ટપલી મારતા આ નવકારશીનું પાપ કયાં કરવું પડે છે. વૈરાગ્ય ગજબનો વણાઈ ગયે હતે. સિદ્ધગિરિ ઉપર તેમને ખુબ જ પ્રેમ હતું. જ્યારે જ્યારે સિદ્ધગિરિની યાત્રા કરે ત્યારે એકાસણું કરતાં. ત્રણ વખત ૯ યાત્રા કરી છે. હસ્તગિરિ પ્રતિષ્ઠા વખતે પ્રતિષ્ઠા કરી ઉતરતા પહેલા તમામ દેરીના દર્શન કરવા ગયા હતા. ગમે તેટલો કાયાને પરિશ્રમ પડ હોય મુખ ઉપર ઉકળાટના દર્શન થયા નથી. તપસ્વીઓને પ્રણામ કરીને વાપરતા.
. કેટલીકવાર તેમની વ્યાખ્યાન સભામાં ખુબ મેદની જામી હેય. ત્યારે ઘરડા-ડોસા ડેસીએ પણ સાંભળવા આવતા. જગ્યાને અભાવે જ્યારે તેઓ પાછળ બેસે ત્યારે એક વખત એક ઘરડી બાઈને કેઈ ભાઈએ પૂછયું, હે માજી, તમને સંભળાતું નથી તે તમે અહીં શા માટે આવો છો ? વર્ષોથી તેઓના પ્રવચન સાંભળનાર તે બાઈએ સંભળાવી