Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આહ હા હા હીહ હ હ હલાલા જ છે સુવિશુદ્ધ મોક્ષમાર્ગ પ્રદાતા છે
–શ્રી ગુણદશી
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૃચારિત્ર સ્વરૂપ મેક્ષમાર્ગની સ્થાપના કરી છે. તે પરમતારકે પોતાના આયુષ્ય પર્યત તે મેક્ષમાર્ગને જ જગતમાં પ્રકાશિત કરે છે અને અનેક ભવ્યાત્માઓને મોક્ષમાર્ગે ચઢાવી મોક્ષે મોકલી, પોતે પણ મેક્ષમાં જાય છે. “મોક્ષમારગ સુખ સાગરમાંહે ઝીલા નરનારી રે” એ પૂ. પં. શ્રી રૂપવિજયજી મહારાજા એ સ્વરચિત શ્રી પંચ કલ્યાણુક પૂજામાંની શ્રી દીક્ષા કલ્યાણકમાંની પૂજાની તે પંકિતને તેઓ તે સાર્થક કરી જાય છે.
શ્રી જિનેશ્વરદેવેની અવિવમાનતામાં શાસનની ધુરાને વહન કરવાનું કામ માર્ગસ્થ આચાર્ય ભગવંતે કરે છે. તે માટે સુવિહિત શિરોમણિ પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ ભારપૂર્વક ફરમાવ્યું છે કે
"पवयण रयण नि हाणा, सूरिणो जत्थ नायगा भणिया ।। संपइ सव्वं धम्म, तयहिट्ठाणं जओ भणियं ॥१॥ कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं वहं दाउं ।। आयरिएहिं पवयणं, धारिज्जइ सपयं सयलं ॥२॥"
શ્રી જિનાગમાં પ્રવચનરૂપી રત્નના નિધાન સમા સૂરીશ્વરો નાયક તરીકે કહેવાયેલા છે કારણ કે સંપ્રતિવર્તમાન કાળમાં સઘળો ય ધર્મ તેઓના–સુવિહિત માર્ગસ્થ સૂરિવયેના આધારે જ કહેલ છે. વળી શ્રી જિનેશ્વરદેવે તે મોક્ષમાર્ગનું પ્રદાન કરીને ક્યારનાયે અજરામર પદ–મક્ષ પદે પહોંચી ગયા છે. માટે વર્તમાનકાળમાં જે સકલ પ્રવચન છે, તે સઘળું ય શ્રી આચાર્ય ભગવંતે એ જ ધારી રાખ્યું છે.”
માટે જ “ગઢ તિરથ રહસTT, અરું ઘનિષ્ણા ત ર સૂરીલું ” “ सव्वेसि पूयणिज्जो, तित्थयरो जह तहा य आयरियो ।"
“તસાણાવ–મુમવામિથ ઘમ્મરસ ” અર્થાત્ “પરમતારક શ્રી તીર્થકરોની આજ્ઞા અલંઘનીય છે તેમ માર્ગસ્થ શ્રી આચાર્ય ભગવંતની આજ્ઞા પણ અલંઘનીય જ છે.
સઘળા ય કલ્યાણના અથી આમાઓને જેમ શ્રી તીર્થંકરદેવ પૂજનીય છે તે જ રીતે શ્રી આચાર્ય ભગવંતે પણ પૂજનીય છે અને સુવિહિત માર્ગસ્થ શ્રી આચાર્ય ભગવંતની આજ્ઞામાં વર્તવું એ જ આ શાસનમાં સાચી ધર્મની પ્રભાવના છે.”