________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વર્ગની વનસ્પતિના ભાગ જુદા જુદા ગ્રંથકાર જુદી જુદી રીતે કરે છે. એને જ્યારે બીજ હોય છે ત્યારે તે અદૃશ્ય જેવાં હોય છે. અને એ વનસ્પતિ પહેલા વર્ગની એટલે સપુષ્ય વર્ગની વનસ્પતિ માફક બાહ્યવર્ધક અથવા અંતરવર્ધક હેતી નથી, પણું શીર્ષ-વર્ધક હોય છે. એટલે એનાં લાકડાની વૃદ્ધિ આંબાના ઝાડ માફક અંદરથી બહાર અગર પિપૈયાનાં ઝાડ જેવી બહારથી અંદર થતી નથી, પણ તે ઊંચાઈમાં માથા તરફ વધતું જાય છે.
એ વર્ગના મુખ્ય બે ઉપવર્ગ કરવામાં આવે છે. એક જેમાં થડ અને પાંદડાં એને ભેદ સ્પષ્ટ હોય છે તે. જેમ ફન્સ, શેવાળ વિગેરે. બીજે જેમાં થડ અને પાંદડાંને ભેદ સ્પષ્ટ હતો નથી તે. જેમ ભથ્થુ, ફંજાઅ વિગેરે.
બગીચાની માહિતી મેળવવા ઈચ્છનારને વનસ્પતિ શાસ્ત્રનું કાંઈક જ્ઞાન હોય તો એ કામ વધારે અને રંજક થવાનું જાણું, તે વિશેની માહિતી આ પ્રકરણમાં આપી છે.
For Private and Personal Use Only