________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪પ ) ગર ડબામાં ભરી તેનાં મને લાખનાં રેણુ દઈ બંધ કરવા અને એ ડબા તથા બાટલી સુકી હવાવાળી કેટડીમાં અગર કપાટમાં તેના ઉપર બીનાં નામની ચિઠ્ઠી લગાડી રાખવી. તે જ્યારે વાવવાં હોય ત્યારેજ સુકી હવામાં ઉઘાડવાં. ભિની હવામાં નાજુક જાતનાં બીજ ખુલ્લો મૂક્યાથી તે બગડી જાય છે. અને ઉગતાં નથી.
વર્ષાયુ કુલ ઝાડ તથા શાકભાજીનાં બીજ વાવવામાં નિચે લખેલ માહિતી ધ્યાનમાં રાખવા જેવી છે.
એ બીજ વાવવા માટે ઉંચી જાતની પિચી જમીન જોઈએ. અને તેને ખાતર અને પાણી માફક જોઈએ-વધારે પાણી તેમજ વધુ ખાતર દીધાથી તેને નુકશાન પહોંચે છે. બીજ વાવવા માટે કાંપવાળી જમીન ઘણુંજ સારી. કેઈ વખતે કાંપ જ્યારે ઘણો ચીકણે હોય છે ત્યારે તેમાં ઈટને ભુકે અગર ઝીણું વેકુળ ભેળવ્યાથી તે બીજ વાવવાને લાયક થાય છે. - જ્યારે બીજ જમીનમાં વાવવું હોય ત્યારે તે જમીન દોઢ ફુટથી બે ફુટ ઉંડાઈમાં બેદી પિચી કરવી. બાદ તેનાં ઢેફાં ભાંગી સાવ ઝીણી કરવી અને તેમાં પાંદડાનું સાવ સડેલ ખાતર અને ઠીકરાને ભુકો અર્ધી અર્ધ નાંખી મિશ્ર કરી તેનું ખાતર એ જમીનમાં દઈ તે હાથેથી જમીન સાથે સરખું ભેળવવું અને પછી તે જમીન સરખી કરી તેમાં બીજ વાવી તે ઉપર થોડી ઝીણી માટી છાંટવી અને તે હાથના તળિયેથી અગર નાહાના પાટીઆના કટકાથી હળવે હાથે દબાવવી.
બીજ વાવ્યા પહેલાં એ જમીન ભીની નહીં હશે તો બીજ વાર વવાની અગાઉ પાંચ સાત કલાક તેમાં પાણી દઈ બાદ બીજ વાવવું. એ મુજબ બીજ વાવેલ જો સવારના આઠ બજ્યાથી તે સાંજના
For Private and Personal Use Only