________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજા પ્રકારનું સેરવાનું કામ એટલું જ છે કે, જ્યારે ઝાડનાં ફૂલ ઉઘડે ત્યારે તે ફૂલવાળી ડાળીઓના છેડા કાપી નાંખવા. ઝાડની જાત પ્રમાણે કેટલાએક છેડા લાબેથી કાપવા પડે છે અને કેટલાક ટુંકેથી કાપવા પડે છે.
એ ડાળીઓ અને અંકુર સેરવા માટે ખસુસ કાતરે બનાવેલ હોય છે, તેને ઈગ્રેજીમાં પ્રનીંગ શીઅર્સ કહે છે, તે વડીએ અગર મોટી ડાળીઓ હોય તો નાહાની કરવતીથી એ સેરવાનું કામ કરવું એટલે ઝાડને ઇજા થતી નથી.
ઘણું કરીને દરેક જાતનાં ફળ ઝાડને નિચે લખેલાં ત્રણ પ્રકારનાં મૂળ હોય છે. અને તે દરેક જાતનાં મૂળ ઝાડનું જુદા જુદા પ્રકારનું કામ બજાવે છે.
(1) ઝાડનાં થડ નજીક જે તંતુ સેટેલા હોય છે, તે ફળતંતુ કહેવાય છે અને ઝાડને ફળ આવવાનો, અગર ન આવવાને, ફળ સારાં અગર નરસાં આવવા, અને કમતી અગર જાતિ આવવાને આધાર એ ફળ તંતુની સ્થિતિ ઉપર રહેલો છે. એ મૂળ બિલકુલ સેરાતાં નથી.
(૨) ઝાડનાં થડને ફરતાં ફેલાએલાં જે મૂળ હોય છે, તે કાષ્ટમૂળ કહેવાય છે, અને તે એ ઝાડનાં લાકડાંના ભાગ માટે પોષણ મેળવવા સારૂ જમીનમાં ઘણે છે. અને આડાં ફેલાએલાં હોય છે, એટલે એ આડાં ફેલાએલાં કાષ્ટ મૂળ જે ખેરાક શોષી લે છે તેથી ફક્ત થડ અને ડાળીઓમાં લાકડાનો વધારો થાય છે; જેમ જેમ એ કાષ્ટમૂળનું જોર વધતું જાય છે તેમ તેમ એ ઝાડનું થડ જાડું થતું જાય છે, અને એ મૂળ જેમ જેમ વધુ જોર કરે છે તેમ તેમ ફળતંતુનું એર કમતી અને કમતી થતું જાય છે અને એ ઝાડને ઓછાં અને
For Private and Personal Use Only