Book Title: Bagichanu Pustak
Author(s): Ganesh G Gokhle
Publisher: Ganesh G Gokhle

View full book text
Previous | Next

Page 394
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) ફુક ઉંચા થાય એટલે તેમાંથી તેની પિંડ સાથે કાઢી છેવટ જે જમીનમાં વાવવા હેય, તે પ્રથમ પાયખાનાનું અગર છાણનું સાવ સડેલું ખાતર નાખી તૈયાર કરી, તેમાં ચેરે અગર કયારા કરી તેની જાતના પ્રમાણમાં બે ફુટથી ત્રણ ફુટને છેટે વાવવા. એ રોપને ચોથે દિવસે ભરપૂર પાણી દેવું અને એના ગડા બંધાવવા લાગે ત્યારથી તેને આઠમે દિવસે ખરપેથી ગેડી છાણને રેડ દેવો જોઇએ. કોઈ કોઈ વખતે કેબીના મૂળમાં એક જાતની ધૂળીયેળે થાય છે, અને તેથી એના છોડને નુકસાન પહોંચે છે. એ માટે એના રો૫ બીજીવાર ફેરવવાના ત્યારે એક ડોલ ભરીને પાણીમાં વધારણને વાસ આવે એટલી વઘારણી ભેળવી, તેમાંથી થોડું થોડું પાણી એ રોપાના પિંડે ઉપર છાંટી બાદ તે વાવવા એટલે એની મેળો થશે નહિ. કેબીના રપ નાહાના હોય છે ત્યારે, તે ઉપર કોઈ કોઈ વખત છવડા થાય છે, અને તે એનાં પાન ખાઈને નુકસાન પહચાડે છે. એ માટે એક ઝારો ભરીને પાણી લઈ, તેમાં થોડું મીઠું ભેળવી, તે પાણુ અગર રાખ એ રેપ ઉપર છાંટવી એટલે એ જીવડા ઓછા થશે. આગષ્ટ મહિના પહેલાં જે બીજ વવાય છે, તે ઉપર એવા જીવડા ઘણું થાય છે. કેબી વાવવા માટે ઘણું જ ઉંચી જાતની ખાતરવાળી જમીન જોઈયે. એનાં મૂળ ઉંડા જતાં નથી માટે એ સારૂ ખાતર દેવાનું તે જમીનમાં ઘણું ઊંડું ન જાય તેવી રીતે દેવું જોઈએ. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422