________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) ગપુરમાં નારંગીનાં ઝાડ ઉત્તમ જાતની જમીનમાં કોઈ કોઈ વખતે વીસ વીસ અને પચીસ પચીસ ફુટ સુધી ઊંચાઈમાં થાય છે અને તેને ફેલાવ પણ ઊંચાઈના પ્રમાણમાં હોય છે. બીજી જગે એનાં ઝાડ ફક્ત બાર તેર ફુટ ઊંચાં થાય છે. નાગપુરનાં નારંગીનાં ઝાડને વર્ષમાં બેવાર ફાલ આવે છે. દિલ્લી તરફ દુરાજી જાતનાં નારંગીનાં ઝાડ છે, તેને પણ વર્ષમાં બે વાર ફાલ આવે છે. આપણા દેશમાં બીજી જગે નારંગીને દર વર્ષે ફક્ત એકજ ફાલ આવે છે. નાગપુરમાં નારંગીનાં ઝાડ પ્રથમ બીજ રોજી રાજાએ ઔરંગાબાદ અને સીથકેલીથી મગાવી દાખલ કર્યા હતાં અને તેની જાત હજીસુધી હીણી થઈ નથી, એમને એમ સારી રહી છે.
યુરોપ ખંડમાં નારંગી ઘણી જ સારી થાય છે અને ત્યાં તેની જાતો પણ ઘણું છે. ઈટલીમાંથી અને માલટેથી ઘણી નારંગી વેચવા માટે મુંબઈ આવે છે.
આપણા દેશમાં નારંગીની મુખ્ય ત્રણ જાતો છે સંત્રાં, મુસંબી અને કમલા. સત્રાની છાલ લીસી હેય છે અને તે અંદરના ગરને ચટેલી હોય છે અને તે છાલનો રંગ ફિક્ક હોય છે. સંત્રાનાં ફળ હમેશ મીઠાં હોય છે, ખાટાં હતાં નથી. મોસંબી અને કમલાનાં ફળ આકારમાં અને રંગમાં ઘણું કરીને સરખાં હોય છે પણ મોસંબીનાં ફળ ઘણું મેટાં હોય છે, અને કમલાનાં નાહાનાં હોય છે. એની છાલને રંગ નારંગી હોય છે અને એ છાલ ઘણું અખડબખડ હોય છે અને તે તેના અંદરના ગર સાથે સંત્રાની છાલ જેવી ચટેલ હોતી નથી તેથી તે સેહેલાઈથી જુદી પાડી શકાય છે. એ છોલની અંદરની પાંખડી પણ
For Private and Personal Use Only