________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) હેળો અને આઠ ફુટ ઉંચે રાખો, કે તેના નિચે તડકાની વખતે રપેટ કરવા અગર બેસવા કામ આવે; એની બાજુમાં અને માથે વંછની મોટાં ફાકવાળી જાળી કરવી અને તે ઉપર અંગુરના વેલા ચડાવવા. એ માંડવા નિચે નાજુક જાતનાં ઝાડનાં કુંડાં પણ મુકી શકાય છે. એવો માંડ બગીચાની એક શોભા જ હોય છે. એ માંડવાની બહારની બાજુ આઠ આઠ ફુટને છેટે અંગુરના વેલા લગાડવા. માંડવાની જગ્યે કોઈ કઈ પાંગારાનાં ઝાડ વાવી તે ઉપર એ વેલા ચડાવે છે.
અંગુર વાવવા માટે ઉંચી જાતની પિચી છીછરી જમીન જોઈએ. પણ એવી છીછરી જમીન ન હોય અને ઊંડી હોય તો એ વેલા જે ઠેકાણે લગાડવાના હોય તે જગ્યે ત્રણ ફુટ વ્યાસના અને પાંચ ફુટ ઉંડા ખાડા કરવા. એ ખાડા બે ફુટ ઉંડાઇમાં ઠીકરાં, પથ્થર વિગેરેથી ભરવા અને તે ઉપરને એ ખાડાને ભાગ, ઉકરડાનું સાવ સડેલ ખાતર સાથે ઉંચી જાનની માટી સાથે મિશ્ર કરી તેથી ભરવો. અને તેમાં એના તૈયાર કરેલ રોપા અગર કલમથી કરેલા વેલા તેની દડબ કાઢી પિંડ સાથે વર્ષદની સરૂઆતમાં વાવવા એ રોપા અગર વેલા લાંબા હોય તો જમીન ઉપર તેના ત્રણ ત્રણ સાંધા અગર આંખ રાખી વધારાના કાપી નાખવા, અને એને છહે દિવસે પાણી દેવું.
વાવ્યા પછી વળતા સપ્ટેમ્બર માસમાં એ વેલાને જે ડાળીઓ છુટી હશે તે તમામ સોરી નાખવી, અને મુખ્ય વેલાની સેટીની જમીન ઉપર ચાર આંખ રહેવા દેવી. તે પછીના અકબર મહિનામાં એ રાખેલ વેલાને ઘણી ડાળીઓ ફુટશે, તેમાંથી જોરદાર બે વેલા જે પાછલા વર્ષમાં રાખેલ થડથી છુટયા
27
For Private and Personal Use Only