________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૩ ) ગર્ભને ભાગ, તે સાથે આશરે એક ઇંચ દાંડલી સુદ્ધાં વેકુળવાળી જમીનમાં વાવ્યાથી તેને ઘણે સારે છેડ થાય છે. પાનને ગમે તે ભાગ જ્યાં બે નસો ભેળી થાય છે તે જગ્યથી લઈને વવાય તો પણ તેને મૂળ આવી તેનું ઝાડ થાય છે.
ફૂલવાળી જાતનાં ઘણું ઝાડને બીજા ઘણું ખરાં ગાંઠવાળા ઝાડની માફક ફૂલની મોસમ પછી વિશ્રાંતીની જરૂર છે. માટે કુલ ઉઘડી ગયા પછી પાણી બંધ કરવું. અને ઝાડ સુકાય એટલે તેની ગાંઠો વળતા મે માસ સુધી વેકુળમાં દાટી રાખવી જોઈએ. એ જાતનાં ઝાડ તેનાં મૂળ અને ગાંઠે વાવ્યાથી અગર તેનું બીજ વાવ્યાથી થાય છે. એ બીજ ઘણુંજ નાજુક હોય છે માટે એક ભાગ નળિયાંને ઝીણે ભૂકો, એક ભાગ પાનનાં સાવ સહેલ ખાનર સાથે ભેળવી તેમાં તે વાવી તે ઉપર ઉંડી ઢાંકી રાખવી જોઈએ. એ બીજ વાવ્યા પછી તે ઉપર ફક્ત સાધારણું કાગળ જેટલી જાડાઈમાં સાવ ઝીણું માટી છાંટવી. બી વાવેલા કુંડાને પાછું બીજ વાવ્યા પહેલાં દેવું જોઈએ. તે પછી પાણી દેવું પડે તે ઝારેથી ઉપરથી ન દેતાં એ કુંડું પાણવાળા ઠામમાં મૂકી તેના નિચેનાં વિંધમાંથી તેમાં ભિનાસ આવે તેમ કરવું.
એ ઝાડે નાજુક હોય છે અને તે સખત તડકો ખમી શકતાં નથી. માટે તે રક્ષકગૃહોમાં અથવા બીજી એથવાળી અને છાયાવાળી જગ્યે કુંડામાં રાખવાં જોઈએ. એને પાણી રેજ એકવાર દેવું જોઈએ.
For Private and Personal Use Only