________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊંચાઈમાં થાય છે. એ એ કુંડમાં વાવવા જોઈએ. એના બીજ શિયાળાની સરૂઆતમાં જે કુંડમાં એ ફેરવી હોય તેમાંજ વા વવાં. એને પાણી દરરોજ જોઈએ. એની કલમે પાણીમાં વાવ્યાથી તે મૂળ મૂકે છે. એની એક દી વર્ષય જાત છે, તેનાં ફૂલ પણ ઘણાં જ સુંદર હોય છે.
છલિયા ટ્રાઈકલર. GILIA TRICOLOR. (N. 0. Polemoniacec.)
એનાં ફૂલ ફલાકસનાં ફૂલને મળતાં હોય છે. એનાં બીજ આગષ્ટ માસમાં કુંડાંમાં વાવાવાં જોઈએ, અને રોપા બે ઈચ ઉંચા થાય એટલે ખુલ્લી જગ્યામાં તકતામાં ફેરવવા. એ માટે ખાતરવાળી જમીન જોઈએ અને પાણે બીજે દિવસે જોઈએ.
ગલમેંદી. BALSAM (N. O. Balsaminacece.) એ એક અતિ સુંદર ફૂલની જાતનાં વર્ષાયુ છે, એના સિવાય બગીચે પૂર્ણ કહેવાય નહિ. એનાં ડબલ અને સિંગલ ફુલ સેંકડે જાતના રંગનાં થાય છે.
એ કુંડાંમાં અગર તક્તામાં વવાય છે. એ માટે ઘણી ઉંચી જાતની જમીન અને રોજ પાણી જોઈએ. પ્રથમ બી ચોમાસાની સરૂઆતમાં વાવી રોપા છ ઈંચ ઉંચા થાય એટલે જ્યાં રેપવા હેય ત્યાં ફેરવવા,
For Private and Personal Use Only