________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૫ ) એ ઘણું કરીને કુંડાંમાં સારાં થાય છે, પણ એમાંથી કઠણ જાતનાં જ્યાં ઘણો તાપ ન હોય એવી એથવાળી જ જમીનમાં પણ થાય છે. એ માટે એક ભાગ રાતી ભાટી, એક ભાગ - બેલામાંનું ખાતર (ભેજવાળા ખાડામાં નાખી સડવેલ) અને એક ભાગ ઠીકરાને ભુકો અને જુની ઇમારતને ચુને, એ સર્વ મિશ્ર કરી તેમાં એ ઝાડ વાવ્યાથી ઘણું સારાં જોરમાં ઊગે છે, અને તેમાં તેના રંગ સારા ખુલે છે. લાંબાં પાનવાળી જાતને માટે એથવાળી જગ્યા જ્યાં સખ્ત તડકે આવતે નહીં હોય એવી જો અવશ્ય જોઇયે. નાનાં પાનવાળાં ખુલ્લી જગ્યામાં પણ થાય છે. જામેલાં ઝાડોને ચોમાસામાં ગોડી માછલાંના કુટાનું ખાતર દીધાથી ફાયદો થાય છે.
એ ઝાડને ચોમાસા પછી એક જાતની જીવાત થાય છે. તે માટે એક સ સાબુ, એક ગ્યાલન પાણીમાં મેળવી તેમાં એક
સ કેસીન તેલ નાખી એ મિશ્રણ લગાડવું એટલે એ વાત ભરી જાય છે.
એનાં નવાં ઝાડો કલમના કટકા વાવ્યાથી, અગર આંખ ચડાવ્યાથી, અગર કલમ બાંધ્યાથી થાય છે.
ડ્રીમીઆ. DRIMEA, (N. 0. Liliacece.) એ નાનું ઝાડ છે. એનાં પાન શોભાવાળાં હોય છે. અને તે ઉપર ધળાં ટપકાં હોય છે. એ કુંડાંમાં વાવી છાયામાં રાખવા જોઈએ, અને તેને બીજે દિવસે પાણી દેવું જોઈએ. નવાં ઝાડ તેની ગાંઠે જુદી કરી વાવ્યાથી થાય છે.
For Private and Personal Use Only