________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) gય છે. ગંડળના બાગમાં એનાં ઝાડ છે અને તેને ફાલ પણ આવે છે.
મહુડાનાં ઝાડ ડોળ વાવ્યાથી થાય છે. વાવ્યા પછી દશ બાર દિવસે તે ઉગી આવે છે. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે, પણ ઊંચી જાતની જમીનમાં તે જલદી વધે છે અને તેને ફાલ સારે આવે છે. ઝાડ મોટું થતાં સુધી તેને આઠમે દિવસે પાણી જોઈએ, પણ ઝાડ મોટું થયા પછી પાની જરૂર છે
એંડુ ફુલ. PARKIA BIGLANDULOSA. (N. 0. Mimosece.)
એ એક ઘણું ખુબસુરત ઝાડ છે. એ આશરે પચીશ ફુટ ઉંચું થાય છે, એનાં પાન આંબળાંનાં પાન જેવાં જ હોય છે. એ ઝાડનાં ફૂલ રાતી મખમલના દડા હોય છે, તેનાં જેવાં હોય છે અને ઝાડ ઉપર કુલ આવ્યાં હોય ત્યારે તે ઘણુંજ રળીઆમણું દેખાય છે. એની શિંગોમાં અન્નમય ગર હોય છે, તે ખવાય છે. તે ગળ્યો હોય છે.
ગોંડળના બાગમાં એનાં બે મોટાં ઝાડે છે, તેને હજી ફૂલ આવવા લાગ્યાં નથી. કાઠીઆવાડમાં બીજે ઠેકાણે એ ઝાડ જેવામાં આવેલ નથી.
નવાં ઝાડ બીજથી થાય છે. પ્રથમ રોપા તૈયાર કરી તે બાર મહિનાના થાય એટલે જાથે જ્યાં ઝાડ કરવું હોય ત્યાં ફેરવવાં. એ ઝાડ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી છેકે દિવસે જોઈએ. મોટાં ઝાડને દશમે દિવસે હોય તે ચાલે.
For Private and Personal Use Only