________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ડેલ્ફીઆને કુલ આગષ્ટથી ડિસેમ્બર સુધી આવે છે. કુલ આવી ગયા પછી તેને પાછું દેવું બંધ કરવું અને એનાં ઝાડ સુકાઈ જાય ત્યારે એની ગાંઠે સંભાળથી કાઢી લઈ એક નાં. દમાં વેકુળ ભરી તેમાં વળતા મે માસ સુધી દાટી રાખી એ નાંદ છાયાવાળી જગ્યામાં મૂકવી.
એ ઝાડનાં થડ ઘણુ નાજુક અને પોચાં હોય છે. તેથી તે સખત પવનથી ભાંગી જાય છે. માટે તેના થડની બાજુમાં લાકડી ખેડી તે સાથે તે બાંધી રાખવાં.
એ ઝાડને કૂલ બેસવાના વખતથી આઠમે દિવસે છાણને રેડ દીધાથી ફાયદો થાય છે.
મેટાં ફુલવાળો આલામાંડી. ALLAMANDA. (N. 0. Apocynacec.) એ વેલા જેવું ઝાડ છે. ડા. આલાપ્પાંડાયે ગીનીઆમાંથી શોધી કાઢયું તેથી તે નામ ધરાવે છે. એ એક ઘણું જ શોભાવાળાં ફૂલનું ઝાડ છે; એનાં પાન ફિક્કા લીલા રંગનાં હોય છે. અને કુલ મોટાં પીળા રંગનાં ઘણુજ સુંદર હોય છે. ઊંચી જાતની કાળી જમીન જેમાં પાણીનો સારે નિકાસ હોય છે તેમાં અગર ટબમાં એ સારાં થાય છે. એ ઝાડને શિઆળાની આખરમાં પાયખાનાનું, પાનનું અગર છાણનું સાવ સડેલ ખાતર દેવું જોઈએ. એને કુલ ચમારામાં અને ઉનાળામાં આવે છે. શિઆળામાં એની નબળી અને વધારાની ડાળીઓ સેરી નાખવી જોઈએ. કાઠીઆવાડમાં એ સપ્ત તડકો સહન કરી શકતું નથી માટે સહ તડકો ન લાગે એવી જયે એને રાખવું જોઈએ.
For Private and Personal Use Only