________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ). થાય છે. આપણા દેશના બગીચામાં નવાઈ તરીકે ઘણું લોકે એ ઝાડ વાવે છે. તજનું વાવેતર ઘણું ફાયદાકારક છે. એ ઝાડ કઠણ જાતનું છે અને સાધારણ જાતની જમીનમાં તે થઈ શકે છે. સિલેનમાં તેનાં જંગલો છે અને બાળવામાં પણ ત્યાંના લોકો એનાં લાકડાં વાપરે છે. કાઠીઆવાડમાં એ ઝાડ જરૂર અજમાવી જોવા જેવું છે. તજનું ઝાડ સાધરણ જાતની જમીનમાં થાય છે પણ જે જમીનમાં વનસ્પતિને અંશ વધુ હેય છે અને સિલીકા હેય છે તેમાં એનાં ઝાડ વધારે સારાં થાય છે. એવી જમીનમાંનાં ઝાડની તજ પણ વધારે કિમતી અને વધારે સ્વાદિષ્ટ હોય છે.
ઉતરતી જાતની તાજ હોય છે તેનું તેલ કાઢે છે. એ તેલ દવાના કામમાં આવે છે. ૮૦ પાઉન્ડ તજ હેય તો તેમાંથી સાડા છે આંસ ઊંચી જાતનું અને અઠ્ઠી ઔસ ઉતરતી જાતનું તેલ નિકળે છે. તજનું ઊંચી જાતનું તેલ પાણીને તળીએ બેસે છે
સિલોનની ઊંચામાં ઊંચી જાતની તજ ઘણું પાતળી, લીસી અને ફિક્કા પીળા રંગની હોય છે. એ દબાવ્યાથી વળે છે પણ તુરત ભાંગતી નથી. એને સ્વાદ ઘણે સારે હોય છે. અને તે મેંમાં નાખ્યાથી નરમ થાય છે, અને જેવી પીગળે છે એવી જણાય છે.
તજનાં નાનાં ઝાડ છાંયાવાળી જમીનમાં સારાં થાય છે. અને તેને બીજે દિવસે પાણું દેવું જોઈએ. ઝાડ મોટું થયા પછી પાણીની જરૂર નથી. સારી જમીનમાંનાં ઝાડની છાલ ચેથે પાંચમે વર્ષ કાઢે છે, પણ સાધારણ જમીનમાંનાં ઝાડની છોલ સાતમે આઠમે વર્ષે ઉતારાય છે.
32
For Private and Personal Use Only