________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૮ ) આફ્રિકામાં એ જોતનાં મોટાં ઝાડનાં થડ છેલી પિલાં કરે છે, અને તેમાં કેટલીઓ કરી જે માણસનાં મુડદાને દાટવા દેતા નથી, તે મુડદાંને એમાં ટીંગાડી રાખે છે.
એ ઝાડનું ઉત્પત્તિસ્થાન સિનિગાલ છે, પણ હિન્દુસ્થાનમાં ઘણે ઠેકાણે તેનાં ઝાડ છે. દક્ષિણમાં મંડ પાસે નાળચા કરીને એક ગામ છે ત્યાં એની મોટી ઝાડી છે. કાઠીઆવાડમાં રાજકોટ, ભાવનગર, ગાંડ વિગેરે ઠેકાણે રૂખડવાનાં ઝાડ છે. એ ઝાડનાં ફળનું ફોતરૂં આંબલીના ફતર્યા જેવું હોવાથી તેને હિન્દુસ્થાનમાં વિલાયતી આંબલી કહે છે, અને મરાઠીમાં ગોરખ (ચીંચ) આંબલી કહે છે.
રૂખડવાનાં નવાં ઝાડો તેનાં બીજ વાવ્યાથી થાય છે, એ ઝાડ કાળી જમીનમાં સારાં થાય છે. બગીચામાં કૃતિને ડુંગર બનાવી તે ઉપર એ ઝાડ વાગ્યાથી સારું દેખાય છે. ઝાડ મેટું થતાં સુધી એને છ સાતમે દિવસ પાણું દેવું જોઈએ
લેકીટ, LOQCAT. (N. 0. Pomacev.) લોકાટનું ઉત્પત્તિસ્થાન જાપાન અને ચીન છે. એ ઝાડ ઘણું મોટું થતું નથી. વાયવ્ય પ્રાંતમાં અને બંગાલ તરફ એનાં ઘણાં ઝાડો છે. એનાં પાંદડાં મોટાં અને લાંબાં હોય છે. એ ઝાડને મહોર વર્ષમાં બે વાર એટલે આગષ્ટ અને માર્ચમાં આવે છે. પણ ફાલ એકજવાર એટલે ડિસેંબરમાં મહોર આવે છે, તેને બેસે છે. એનાં ફૂલ વેળા રંગનાં ઉભા ઝુમખામાં હોય છે અને તેને મધુર સુવાસ હોય છે. એના ફળના લુમખા હેય
For Private and Personal Use Only