________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) ઝાડને પહેલો ફાલ આવે ત્યાં સુધી આઠમે દિવસે પાણી દેવું. પહેલો ફાલ લીધા પછી તેને બીજો ફાલ બેસવાનો વખત થાય ત્યાં સુધી એ ઝાડને પાણી દેવું નહીં. બીજો ફાલ બેસવાનો વખત થાય ત્યારે તેનાં મૂળ ઉઘાડી તેને પંખીના ચરકનું અગર બકરાની લીંડીનું અગર સડેલ છાણના ખાતમાં સરખે ભાગે નળિયાને ભૂકો મિશ્ર કરી તેનું ખાતર દેવું. અને બીજે ત્રીજે દિવસે પુષ્કળ પાણી ફાલ પાકતાં સુધી દેવું. પછી તેને વળતે ફેરે ફાલ આવવાને વખત થાય ત્યાં સુધી પાણી બંધ કરવું.
ઉપર લખ્યા મુજબ જે ખાતર દેવાનું તે ઉન્ડાળાનો ફાલ લીધા પછી બીજો ફાલ બેસે તે પહેલાં એનાં મૂળ ઉઘાડીને દેવું. વર્ષમાં ફકત એને એકવાર ખાતર દેવાય તો બસ. કુકડાની ચરકનું ખાતર મળી શકે તો દાડમી માટે અતિ ઉતમ.
દાડમીનાં ઝાડને ફાલ નવી જોરદાર ડાળીઓ ઉપર આવે છે. માટે તેની જુનાં લાકડાંવાળી અને નબળી સોટી વખતો વખત કાપી નાખવી.
બિલમી.
AVERRHOA BILIMBI (N. 0. Oxalidace«.) બિલેબીનાં ઝાડ આશરે ત્રીશ ફુટ સુધી ઉંચાં થાય છે અને તે કોકણમાં ઘણાં થાય છે. બીજે ઠેકાણે કવચિત્ જોવામાં આવે છે. ગોંડળના બગીચામાં એનાં બે ઝાડ છે અને તે સારાં તનદુરસ્તીમાં ઉગતાં જણાય છે. એનાં ફળ ઉપર ધૂળ અંગુર જેવી પાતળી છાલ હોય છે. આઠ આઠ દશ દશ ફૂલના લુમખા તંતુ જેવા દાંડલીને થડ અને જુની ડાળીઓથી લટકેલાં હોય છે તેથી એ ઝાડને જ્યારે ફાલ હોય છે ત્યારે તે ઘણું વિચિત્ર દેખાય છે.
For Private and Personal Use Only