________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૩ ) સફરચંદના ઝાડના થડ ઉપર જમીનથી ત્રણ ફુટ સુધીમાં ડાળીઓ ફુટવા દેવી નહીં. એ ઝાડની બાજુમાં ફર્ણ ફુટે તે પણું કાપી નાખવા જોઈએ. જેમાસાની આખરે એનો ફાલ લીધા પછી તેનાં મૂળ ઉઘાડાં કરી સાત આઠ દિવસ રાખવા અને તેને ખાતર દેવું. એનાં તમામ પાન કાઢી નાખવાં અને વધારાની અને નબળી ડાળીઓ સોરી નાખવી. પણ ડાળીએના જે અંકુર ઉપર ફાલ બેસવાનો તેને ઈજા થવા દેવી નહીં. ખાતર દીધા પછી આઠમે દિવસે તેને પાણું દેવું શરૂ કરવું તે ફળ મોટાં થતાં સુધી જારી રાખવું. ફળ પાકવા લાગે એટલે પાણી બંધ કરવું. કારણ તેમ ન કર્યાથી ફળનો સ્વાદ ઉતરે છે. ફાલ લીધા પછી એક મહિના સુધી પાણું દેવું નહીં. તે પછી ઉપર લખ્યા મુજબ ખાતર વિગેરે દઈ પાછું પાણી દેવું શરૂ કરવું એટલે તેના ઉપર બીજા ફાલનાં ફૂલ બેસશે.
સફરચંદનાં નવાં ઝાડ કલમના કટકાથી, દાબના કલમથી અગર તેની બાજુમાં ફર્ણ છે છે તે જુદાં કરી વાવ્યાથી થાય છે. એ ઝાડ ઊંચી જાતની રાતી જમીનમાં સારાં થાય છે. ઝાડ ઓથવાળી જગે ન વાવતાં ખુલ્લી જગ્યામાં વાવવાં જોઈએ.
બીહી. „PYRUS CYDONIA (N. 0. Pomaceae.) બીડીનું ઝાડ સફરચંદનાં કુટુંબનું છે. હિદુસ્થાનમાં બીડીનાં ઝાડ ઘણે ઠેકાણે થાય છે. પંજાબમાં તેને ઘણું જ સારાં ફળ આવે છે. એનાં ફળ સતારામાં ઘણું થાય છે અને પુનામાં પણ સારાં થાય છે.
For Private and Personal Use Only