________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૭ ). આ પૃથ્વી ઉપરનું સર્વથી જુનું સેન્દ્રિય સ્મારક ચિન્હ છે. એ ઝાડ ઘણુંજ દીર્ધાયું છે. ઊંચાઇમાં આશરે પોણે ફુટ સુધી વધે છે. પણ ઊંચાઈના પ્રમાણમાં એનું થડ ઘણુંજ જાડું હોય છે. મેટાં ઝાડનાં થડને વ્યાસ જમીન નજીકમાં લગભગ ચાલિસ ફુટ સુધી હોય છે, એટલે એનાં મેટાં ઝાડનાં થડનો ઘેરાવ એકસ વીસ ફુટ સુધી હોય છે. એ થડ જેમ જેમ ઊંચું વધે છે તેમ તે ઘણું પાતળું પડતું જાય છે. અને તેનો દેખાવ કાંઈક કોન જેવો દેખાય છે. એની ડાળીઓ છેડે નિચે નમતી હોય છે અને તે ઉપર એટલાં બધાં પાન હોય છે કે, એ પાનથી એનાં થડનો ઘણો ખરે ભાગ ઢંકાઈ જાય છે. એમાં મોટા ઝાડને ફેલાવ કોઈ કોઈ વખતે નજીક ડોઢ ફુટ સુધી વ્યાસમાં એટલે સાડા ચારસો ફુટ સુધી ઘેરાવામાં હોય છે. એનાં થડને કઈ કોઈવાર એક જાતનો રોગ થાય છે તેથી તે નરમ થઈ ઝાડ ભરી જાય છે.
રૂખડવાનાં ઝાડને ફૂલ મે અને જુન મહિનામાં આવે છે. તે ધળાં રંગનાં અને મોટાં હોય છે. એનાં ફળ નાનાં નારંગી જેવડાં થાય છે, અને તે ઉપર આંબલીના કાતરા ઉપર ફોતરું હોય છે તેવું કૃતારૂં હોય છે. એ ફોતરાંની અંદર સ્વાદિષ્ટ ખટાશવાળે ગર હોય છે, અને તે ખવાય છે. એ ગરમાંથી રસ કાઢી તેમાં ખાંડ ભેળવ્યાથી સખ્ત અને ભયંકર તાવમાં પીવાની કિમતી દવા થાય છે. એનાં થડની છાલનાં તંતુ ઘણું મજબૂત હોય છે, તેથી તેનાં દેરડાં બની શકે.
દરિઆ કિનારાનાં લોક રૂખડવાનાં ફળ તેમના જાળાંને પાણી ઉપર તરવાના માટે બાંધે છે.
For Private and Personal Use Only