________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૧૮
)
સેહેલાઈથી જુદી જુદી થાય છે, સત્રાની તેમ થતી નથી. મેસંબી અને સત્રાનાં ઝાડને ફેલાવ ઘણે થાય છે. કમલાનાં ઝાડ એથી નાનાં થાય છે, અને તે વધારે નાજુક હોય છે. કમલાનાં પાન સંત્રા તથા મેસેબીનાં ઝાડનાં પાન કરતાં નાનાં હોય છે.
ઉપરની જાતે શિવાય ગંડળના બગીચામાં ઈટાલીઅન જાતનાં નારંગીનાં ઝાડ તે દેશથી મંગાવી દાખલ કરવામાં આવ્યાં છે અને તે સારી તનદુરસ્તીમાં છે. એ ઝાડને ફાલ પણ આવવા લાગ્યો છે. એનાં ફળ સ્વાદમાં ઘણાં સારાં હોય છે.
- નારંગીનાં નવાં ઝાડ બીજ વાવ્યાથી, આંખ ચઢાવાથી અને દાબની કલમથી થાય છે. પણ સારી જાતની નારંગીની આંખે મીઠા લિંબુના રેપા ઉપર ચઢાવી નવાં ઝાડ કરવાં, એ સર્વથી ઉત્તમ રીત છે. નારંગીનાં ઝાડ કાંપવાળી જગ્યામાં ઘણું સારાં થાય છે. કાળી જમીનમાં પણ તે સારાં થાય છે. એના રોપા નાના હોય ત્યારે તેને ચોથે દિવસે પાણી જોઈએ; ઝાડ મોટાં થયા પછી આઠમે દિવસે પાણું જોઈએ. એને ફાલ આવે ત્યારે ચોથે દિવસે પાણી દેવું એટલે ફળ સારાં રસાળ થશે. કોઈ પણ જાનવરના માંસનું ખાતર એને ગુણકારી છે.
- ૫૫નસ. PUMELO. (N. 0. Aurantiacec.) પપનસ જેને ચત્રા પણ કહે છે, તેનું ઝાડ આશરે દશ બાર ફુટ ઉંચુ થાય છે અને તે શોભાવાળું હોય છે. ખસુસ કરીને
જ્યારે એ ઝાડ ઉપર ફળ હોય છે ત્યારે તે ઘણું સુંદર દેખાય છે. લિંબુની જાતનાં ઝાડોમાં ૫૫નસનું ફળ સર્વથી મોટું થાય છે અને તે સ્વાદે પણ સારું હોય છે.
For Private and Personal Use Only