________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) કેળનું વાવેતર કરવું ઘણું જ સહેલું છે. ફક્ત એ માટે જમીન ઉંચી જાતની અને પાણી પુષ્કળ જોઈએ. કેળ ઊંચી જાતની કાળી અને રેતાળ જમીનમાં સારી થાય છે. કાંપવાળી જમીન તે એ માટે અતિ ઉત્તમ. સમુદ્ર કિનારા નજીકની જમીનમાં જ્યાં હવામાં ખારાસ હોય છે ત્યાં કેળાને પાક ઘણો જ સારે આવે છે.
કેળે લગાડવા માટે ઉત્તમ વખત ઉન્હાળાની શરૂવાતને છે. પણ જ્યાં ઉહાળે ઘણોજ સંધ્ય હોય છે ત્યાં ચેમાસાની શરૂવાતમાં એ લગાડવી વધારે ફાયદાકારક છે.
એનું વાવેતર કરવાની મુખ્ય રીત નિચે મુજબ છે. જે જમીનમાં કેળો લગાડવી હશે તે ખેડી રાંપલાવી તૈયાર કર્યા પછી તેમાં દશ દશ ફુટને ગર્ભે સમાંતર ચેરો આશરે એક ફુટ ઊડી અને ત્રણ ફુટ પહોળી કરવી. અને એ ચેરેમાં આ શરે આઠ આઠ ફુટને ગર્ભ ત્રણ ફુટ ઊંડા અને તેટલાજ વ્યાસના ખાડા કરી તે દરેક ખાડામાં છાણનું અને રાખનું ખાતર બબે સુંડલા નાખવું.
એ મુજબ ખાડા ખાતર નાખી તૈયાર કર્યા પછી એમાં લગાડવા માટે જોરદાર કેળનાં પીલાં કાઢી તેનાં ઝીણું મૂળ દાતરડેથી સોરી નાખી એક ખાડામાં છાણને રેડ કરી તેમાં એનાં મૂળ બોળવાં. બાદ એ પીલાં ઉપર જણાવ્યા મુજબ તૈયાર કરેલ ખાડામાં આશરે સવા ફુટથી દોઢ ફુટસુધી દટાયએવી રીતે પશ્ચિમ તરફ જરા નમતાં રાખી રોપવાં. અને તેનાં માથાં જ્યાંથી પાંદડાં નિકળ્યાં હશે તે નિચે આશરે દશ ઇંચથી ત્રાંસાં કાપી નાખવાં.
For Private and Personal Use Only