________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) તેનું એક અગરબે ફળ એક માણસને વજન થાય એવડો મોટો હોય છે. એ કેળાં ત્યાંના લોકો બટાટા માફક શેકીને ખાય છે. જુદી જુદી જાતનાં કેળાનું કદ જેમ નાહાનું મોટું હોય છે તેમ તેના આકાર પણ ભિન્ન ભિન્ન હોય છે. કેટલાં એક અંગુઠાના આકારનાં હોય છે, કેટલાંએક સિલિંડર જેવાં હોય છે અને કેટલાંએક તરધારા હોય છે. કેટલાંએક જાતનાં કેળાંની છાલ ઘણી પાતળી હોય છે, બીજી જાતનાં કેળાંની એથી જાડી હોય છે, અને કેટલાં એકની ઘણીજ જાડી થાય છે. કેટલીએક જાતનાં કેળાં પાક્યા પછી તે ઉપરની છાલ રાતી થાય છે, કોઇની લીલી, કેઈની ખાખી રંગની, કેઈની પીળી અને કોઈની નારંગી રંગની હોય છે. કેટલાંએક કેળાનો ગર પાયા પછી ધળો હોય છે અને કેટલાએકનો જરા રતાશ પર હોય છે. કેટલાંએક જાતનાં કેળાંમાં બીજ એવાં સૂમ હોય છે કે, તે દીઠામાં પણ આ વતાં નથી. કેટલાએકનાં કાળા રંગનાં ઘણા ઝીણાં દીઠામાં આવે એવાં હોય છે. જંગલી જાતની કેળોમાં બીજ મોટાં હોય છે. આકઆબ અને આરાકાનમાં એક જાતની જંગલી કેળે છે, જેનાં બીજ કપાશીઆ જેવડાં મોટાં હોય છે. મી. ફીલેશન તેને શીઆમ વિગેરેના મુસાફરીના વૃત્તાંતમાં લખે છે જે કયાંબડીઆના સાવ દક્ષિણમાં પુલેખિી બેટમાં એક જાતનાં જંગલી કેળનાં ઝાડ તેઓએ જયાં તેનાં કેળામાં બીજ સિતાફળનાં બીજ જેવડાં હતાં. થોડા મહિના પહેલાં પુનાના શેત. કરી’ નામના માસિક ચોપાનિયાના અધિપતિ મી. ઘોટવડેકરે કંકણમાંથી તેઓએ મગાવેલ એક જાતનાં જંગલી કેળાનાં બીજ ગ્રંથકારને આપ્યાં હતાં તે મેટા કપાસીઓ જેવડાં હતાં. સદ
17
For Private and Personal Use Only