________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૪ ) છે તે તે ગૃહસ્થનાં નામ તે જોતનાં ઝાડ હજી સુધી ધરાવે છે. ગેઠલીથી કરેલા આંબાને ઘણું કરીને ફળ તે જે ઝાડની કેરી વાવિીને ઝાડ કર્યું હશે તે ઝાડની ડેરી જેવાં જ આવતાં નથી. માટે ઊંચી જાતના આંબાને વધારે કરવાની ઉત્તમ રીત એવાં ઉમદાં ઝાડની કલમ અગર ફાચર સાધારણ જાતના આંબા ઉપર ચાઢવવી એ છે.
કાઠીઆવાડમાં વેરાવળ, ભાવનગર, મહુવા, જુનાગઢ વિગેરે ઠેકાણે ઘણું આંબાના ઝાડ છે અને તેને કેરી પણ સારી આવે છે. વેરાવળ નજીક માળિયા કરીને જુનાગઢ તાબાનું ગામ છે, ત્યાંની કેરી કાઠીઆવાડમાં વખણાય છે. કાઠીઆવાડમાં બીજે ઘણે ઠેકાણે આંબાનાં ઝાડ થાય છે, પણ એ ઘણે ખરે ઠેકાણે આંબાનાં ઝાડ ઘણું લાંબી મુદત સુધી જીવતાં નથી. અને ત્યાં એને મેટો વિસ્તાર પણ થતો નથી. કેટલાએક પ્રાંતમાં આંબાનાં ઘણાં ઝાડ બસો વર્ષ ઉપર જીવે છે અને તેને ઘણું લાંબી મુદત સુધી સારાં ફળ આવે છે. પણ કાઠીઆવાડમાં આંબા એટલી લાંબી ઉમ્મરના ઘણું જોવામાં આવતા નથી. એનું કારણ એના મૂળમાં ઉધી લાગે છે એ હશે એવું અનુમાન થાય છે. એના માટે આંબાના રોપા જે ખાડામાં જાથે રોપવા હેય તેમાં આકડાનાં પાંદડાંનું ખાતર નાંખવું એટલે એમાં જે ઝાડ વાવવામાં આવે તેને ઉધીથી નુકશાન થશે નહીં એવું કહે છે. ગેંડળના બાગમાં ગયા નવ વર્ષમાં આંબાનાં ઘણાં નવાં ઝાડ કરવામાં આવ્યાં છે, તેમાંથી કેટલાંકને આકડાનું ખાતર દીધું છે, તેની અસર કેવી થાય છે તે જોવાનું છે.
For Private and Personal Use Only