________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૫ ) આંબાના રોપા કરવા માટે સારાં જોરદાર ઝાડની સાવ પાકેલ કેરી ઉતારી લેવી અને તેના ઉપરથી ગર અગર છાલ ઉતાયા શિવાય તે એક કુંડામાં ખાતર મિશ્ર જમીન ભરી તેમાં, અગર જમીનમાં કયારે કરી તેમાં ખાતર નાખી બે બે ફુટને છેટે વાવવી અને તેને બીજે ત્રિજે દિવસે પાણું દેવું. એ રેપ બાર મહિનાના થાય એટલે તેની દબો કાઢી તે જાણું જે જગ્યામાં રેપવા હોય ત્યાં પ્રથમ ખાડા કરી તેમાં ખાતર વિગેરે ભરી વાવવા.
રેપા વાવવા માટે ખાડા આશરે ચાર ફુટ વ્યાસના અને પાંચ ફુટ ઉંડા કરવા, તેમાં નિચે એક ઈંચ જાડે રેતીને થર લેવો અને તે ઉપર રાખ એક ભાગ, એક ભાગ ઉકરડાનું સાવ સડેલ ખાતર, એક ભાગ હાડકાના કટકા અને એક ભાગ કાંપની માટી, એ મિશ્ર કરી તે એ ખાડાના મથાળેથી દેઢ ફુટ નિચે રહે ત્યાં સુધી ભરવું અને તે ઉપર ખાડાને ખાલી રહેલ ભાગ મથાળાં સુધી કાંપની માટીથી ભરી તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે રેપા વાવવા. એટલે એનું પાંચ છ વર્ષમાં સારું ઝાડ થઈ ફાલવા લાગશે. એ નવા રે પાને પહેલે વે ત્રીજે દિવસે ભરપૂર પાણી દેવું. બીજે વર્ષે ચોથે દિવસે, ત્રીજે વર્ષે પાંચમે દિવસે થે વર્ષે છેકે દિવસે, અને પાંચમે વર્ષે આઠમે દિવસે પાણી દેવું. ઝાડ મેટું થયા પછી મહિનામાં બે વાર પાણી મળે તે બસ છે.
આંબાનાં ઝાડને નદીના કાંઠાની કાંપવાળી જગ્યા ઘણી માફક આવે છે. કાઠીઆવાડમાં ઘણે ઠેકાણે નદીઓના કાંઠા ઉપર કાંપવાળી જગ્યા જ્યાં આંબા ઘણુ સારા થઈ શકે તેવી પડતર જોવામાં આવે છે અને એવી જગ્યાને જોઇતી રીતે ઉપયોગ
19
For Private and Personal Use Only