________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧પપ ) ળીનાં ઝાડ જેમ ઉષ્ણ દેશમાં સમુદ્ર કિનારાના પ્રદેશમાંજ સારાં થાય છે તેમ સેપારીના ઝાડનું નથી. એ સમુદ્ર કિનારાના છેટાના પ્રદેશમાં, બંગાળાના ઉત્તર તરફના પ્રાંતમાં; નેપાળના નિચેની બાજુના સ્લોપ ઉપર થાય છે. તેમજ સિલોન બેટમાં અને કાંકણમાં તથા હેર અને ત્રાવણકોરના રાજ્યોમાં સોપારીના ઝાડેનું વાવેતર લોકો હજારો એકર જમીનમાં કરે છે અને ત્યાં એ ધંધે ઘણે કિફાયતી ગણાય છે. ગંડળના બગીચામાં કેટલાંક સેપારીનાં ઝાડે સારી તનદુરસ્તીમાં છે અને તેને ફાલ પણ આ વ સરૂ થયો છે.
સેપારીનાં ઝાડ નારિઓળી કરતાં ઘણુંજ નાજુક હોય છે તેથી જે પ્રાંતની હવા ઘણું ઉષ્ણ હોય છે અને જ્યાં સખ ઉને પવન વાય છે તે જયે સેપારીનાં ઝાડ ઉછેરવાં એ ઘણું મુશ્કેલી ભરેલું છે. એવી જગ્યે બગીચામાં ફક્ત નવાઈ તરીકે ઘણું સંભાળ અને કાળજી રાખવામાં આવે તે થોડાં ઝાડ થઈ શકે પણ પેદાશ માટે એનું વાવેતર થઈ શકવાનું નહીં.
સેપારીનું ઝાડ સીધું વધે છે અને તેને ડાળીઓ હોતી નથી. સારી જમીનમાં જોરદાર ઝાડ પચાસ ફુટ સુધી ઉંચું વધે છે. એ ઝાડનું થડ લીલા રંગનું હોય છે અને તેના ઉપર વાંસના જેવી કાતળી હોય છે અને જાડાઈમાં નિચેથી માથાં સુધી તે ઘણું કરીને સરખા જેવું જ હોય છે. તેને પાંચમે છઠે વર્ષે ફાલ આવો સરૂ થાય છે અને ઝાડ નજીક ત્રીશ વર્ષનું થાય ત્યાંસુધી તેને સારે કાલ આવ્યા કરે છે.
એ ઝાડને વર્ષમાં બે વાર ફાલ આવે છે. એક ફાલ અને બરમાં અને બીજે માર્ચમાં પાકે છે. સારી જમીનમાંના જોર
For Private and Personal Use Only