________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) ફળને પણ ચુનાને પાણીમાં ભેળી સુકવે છે. તેથી તે વધારે મુદત ટકે છે. જાયફળનું તેમજ જાવંત્રીનું તેલ કાઢે છે અને તે ઔષધી કામમાં આવે છે. જાયફળ ઉકાળ્યાથી તેનું સેકડે અઠ્ઠી ભાર તેલ નિકળે છે. કેટલાક વેપારી એવી રીતે એકવાર તેલ કાઢી લઈ તે જાયફળ પાછાં વેંચવા મળે છે. બેશક એવાં ફળનો ઘણો ખરો રવાદ જતો રહેલ હોય છે. મલાકા બેટમાં જાયફળ ઉનાં કરી તે ઘાણીમાં નાખી તેનું તેલ કાઢે છે. તેને જાયફળનું માખણ કહે છે.
જાયફળ જેવાં પદાસી ઝાડ બીજાં કેકજ હશે. ગોવામાં તેમજ મદ્રાસ ઇલાકામાં એનાં ઘણું ઝાડ છે. અને તેને ફાલ પણ ઠીક આવે છે. ગોંડળના બગીચામાં એનું ઝાડ એક કેરે આપ્યું હતું પણ તે થોડા મહિના જીવી મરી ગયું. એ ઝાડ દરેક સારા બગીચામાં નવાઈ તરીકે તો હોવું જોઈએ અને દરિઆ કિનારાના પ્રદેશમાં એનાં વાવેતરને જ્યાંની જમીન તથા હવા માફક આવે ત્યાં કરવાથી ઘણો ફાયદો થવાને. ભાવનગર દરબારે નારીએળી, બા વિગેરેનાં પ્લાન્ટેશનને મેટા પાયા ઉપર કરેલ છે. તેની સાથે એવાં ઝાડ આપણા દેશમાં થાય છે કે નહીં તે અજમાવી જોવા જેવું છે.
ચલટા અથવા મોટાં કરમલ. DILLENIA S. (N. 0. Dilleniacea.) એ ઝાડ મોટું થાય છે. એનાં પાન ઘાટાં, મેટાં અને ઘણું સુંદર દેખાય છે. જુલાઈ માસમાં એને ધોળાં અને પીળા રંગનાં મેટાં અને ખુસવાળાં ફૂલ આવે છે. એ ફૂલને વ્યાસ આશરે નવ દશ ઇંચ હોય છે. એને ફળ નારીએળ જેવડાં આવે છે અને
For Private and Personal Use Only