________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
નારિઓળી. COCOA-NUT. (N. 0. Palmacæ.) નારિઓળીનું ઝાડ તમામ ઉષ્ણુ દેશોમાં દરિઆ ક્વિારા નજીકના પ્રદેશમાં સારાં થાય છે, કારણ તેને સમુદ્ર ઉપરની હવા ઘણી માફક આવે છે. દરિઆથી છેટાના પ્રદેશમાં પણ નારિ
એળીનાં ઝાડ થાય છે પણ તે દરિઆથી જેમ જેમ છેટે હોય છે, તેમ તેમ તેને ફળ થડાં થોડાં આવતાં જાય છે અને દરિઆથી ઘણે છે. તે તેને બિલકુલ ફળ આવતાં નથી.
એનું સારું જોરદાર ઝાડ નેવું ફુટ સુધી ઊંચાઈમાં થાય છે અને તેનાં થડનો ઘેરા જમીન નજીક ત્રણ સાડાત્રણ ફુટ અને માથે એક ફુટ સુધી હોય છે. એ ઝાડ આશરે પંદર ફુટ સુધી ઊંચાઈનું હોય છે ત્યાંસુધી ઘણુંજ શોભાયમાન દેખાય છે, પણ જ્યારે તે વધારે ઊંચું વધે છે ત્યારે એટલું શોભાવાળું દેખાતું નથી.
એના પાનની ડાળીઓ જેને કવળ કહે છે તે પંદરથી વશ ફુટ સુધી લાંબી હોય છે. એ ઝાડ છ સાત વર્ષનું થાય
એટલે તેને ફાલ આવ શરૂ થાય છે. નારિઓળીનાં ફૂલ એલચીના ડોડા જેવાં હોય છે અને તેની પાંખડી ઘણું જાડી હોય છે. એ ઝાડ બરાબર ફાલવા લાગે છે ત્યારે તેને ઘણું કરીને દર મહીને એક નવો પિોટ જેને પિય કહે છે તે આવે છે. એ પિય ઉપર એક જાળી જેવું વેeણ હોય છે તેને પુસુંદ્રા કહે છે. એ પિય નિકળ્યા પછી આશરે સોળ સત્તર દિવસમાં તેની મેળે ઉઘડે છે અને તેમાંથી ફૂલને લુમખે બહાર આવે છે. એ
For Private and Personal Use Only