________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮ ) કાળી નારિઓળી-એનું ઝાડ વીશ ફુટથી વધારે ઊંચું વધતું નથી
અને તે ઘણું જ સુંદર દેખાય છે. એનાં ફળ સેનેરી
નારંગી રંગનાં હોય છે. એ ઝાડ સિલનમાં ઘણાં થાય છે. લેટણ નારિઓળી--એનું ઝાડ પંદર ફુટથી વધારે ઊંચુ થતું
નથી. જુનાગઢના બગીચામાં એનાં ઘણું ઝાડે છે.. બ્રાહ્મણ નારિઓળી–એનું પાણી ઘણુંજ મીઠું થાય છે પણ
પરૂં ઘણુંજ પાતળું હોય છે. મોહની નારિઓળી –એનું ટોપરું જાડું અને મીઠાસમાં સાકર
જેવું હોય છે. નારિઓળીનું વાવેતર કરવા માટે રેતી મિશ્ર કાંપની અગર કાળી જમીન, તથા રાતી અને ચિકણી જમીને જેમાં નિચેન થર રેતીને હોય છે તે, તેમજ ખારાની જમીન જેમાં મીઠાની જમાવટ થતી નથી તે સારી ગણાય છે. પણ પથરવાળી જમીન અને જે જમીન નિચે નજીકમાં ખડક હોય છે તે એના વાવેતર માટે સારી નહીં.
નારિઓળીના રોપા તૈયાર કરવા માટે અર્ધ ઉમ્મરનાં સારાં જોરદાર ઝાડનાં મેટાં અને પૂર્ણ આંખેવાળાં ફળ ઝાડ ઉપર પાકે એટલે ઉતારી લેવાં. એ ફળ જમીન ઉપર પછાડવાં નહીં. સુંડલામાં અગર બીન્ગ કશ્યામાં મૂકી ઝાડ ઉપરથી નિચે ઉતારવાં. એ પછાડ્યાથી એનાં ફેતરને ઇજા પહોંચે છે અને તેમાં ભિનાસની જમાવટ થાય છે. પછાડ્યાથી વખતે એની કાચલીને ત્રાડ પડે છે અને તેથી એવાં ફળ ઘણું કરીને ઉગતાં નથી. કદી ઉગે તે તેનાં ઝાડ નબળાં થાય છે અને તેને ફળ સારાં આવતાં નથી. તેમજ નાહાની ઉમ્મરનાં ઝાડનાં ફળ રેપ કરવા
For Private and Personal Use Only