________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૧ ) થાણા જીલ્લાના વસઈ તાલુકામાં રાજેળ કરીને એક જાતની કેળો થાય છે, તેનાંજ સુકાં કેળાં બને છે. એ કેળાનાં ઝાડ પંદરથી વીશ ફુટ સુધી ઉંચાં થાય છે તેથી તેનાં થડને તેફાનવાળા પવનથી બચાવ કરવા માટે લાકડાંના ટેકા દેવા પડે છે. એના થડને રંગ પીળા પર હોય છે. એ કેળોનું વાવેતર સમુદ્ર કિનારાની ઉંચી જાતની રેતાળ પચી જમીનમાં કરે છે. એ જમીન ખોદી અગર ખેડી તૈયાર કર્યા પછી એમાં સાત સાત ફટને છે. ચેરે કરી તેમાં એ કેળનાં પીલાં રેપે છે. એક એકર જમીનમાં આશરે નવસો સુધી થડ આવે છે. એક એકર જમીનમાં એ કેળે માટે ત્યાંના લોકે આશરે ત્રીશ “હંડરવેટ” સુધી ખાતર દેય છે. કેળો રોણા પછી જેમ જેમ તે મટી થતી જાય છે તેમ તેમ તેનાં થડને પરાળ અગર કેળનાં પાન લપેટી બાંધે છે. એ કેળાને ફક્ત એકજ મોસમમાં ફાલ બેસે છે. અને એ કેળાં આશ્વિન અને કાર્તિક મહિનામાં પાકે છે,
એ કેળાની લુમ પાકે એટલે ઉતારી મોટા સુંડલાઓમાં પરાળમાં એના ફણ છ સાત દિવસ સુધી ભરી રાખે છે. તે પછી
એ કેળાની છાલ કાઢીને સાદડી ઉપર સમુદ્ર કિનારા નજીક દિવસે તડકામાં સુકવા મૂકે છે, અને રાત્રે તેને લગાર ધીને હાથ દઈ છાંયામાં સાદડી નિચે ઢાંકી રાખે છે. એ મુજબ ક્રિયા છે સાત દિવસ સુધી જારી રાખે છે એટલે એ સુકાં કેળાં તૈયાર થાય છે. પછી એને કેળના પાનમાં બાંધી વેંચવા મોકલે છે. એવાં સુકવેલ કેળાં છ માસ સુધી બગડ્યા શિવાય રહે છે. પણ એ જે ટિનના ડબ્બામાં ડબ્બાનું મેં રેવીને રખાય તે ઘણી મુદત રહેશે. પણ તેમ કોઈ કરતું નથી
For Private and Personal Use Only