________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૭ ).
પ્રકરણ ૧૦ મું.
કુંડામાંનાં ઝાડોને પાણી દેવા વિશે. WATERING OF POTTED PLANTS.
કુંડાંનાં ઝાડને ફકત જોઈતું પાણું દેવું, તેને ઓછું પાણી મળવાથી તે સુકાઈ જવાનાં, તેમજ જોઈએ તેથી વધારે પાણું મળ્યાથી તે સડી મરી જવાનાં. ઝાડને કેટલું પાણી દેવું તેને આધાર તેમની સ્થિતિ ઉપર રહેલો છે. જ્યારે તે જેરમાં ઉ. ગતાં નહીં હોય ત્યારે તે જીવતાં રેહે એટલું જ તેને પાણું દેવું જોઈએ. જ્યારે તે નવી ફુટ કરવા લાગે છે અને જેરમાં ઉગતા હેય છે ત્યારે તેને પુષ્કળ પાણી દેવું જોઈએ.
નાજુક ઝાડને પાણું દેવા માટે નાહાના ઝારા કરવા જેઇએ, અને તે પણ દેતી વખતે પુરા ન ભરતાં ફક્ત ચોથા ભાગમાં ભરવા. ઝારે પુરો કરીને પાણી દીધાથી એ પાણી જોરથી પડે છે અને તેથી એ નાજુક ઝાડોને નુકસાન પહોંચે છે. કઠણ જાતનાં ઝાડને પાણી પાતી વખતે ઝારાનું મોડીઉં કાઢી તેની તટીથી કુંડાંના કાંઠા ઉપર પાણી રેડવું એટલે ઝાડને ઇજા થતી નથી અગર એ કુંડાંની માટી ધબડાતી નથી. ઘણું માળી કુંડાંનાં ઝાડને પાણી દેતી વખતે ઝાડને માથેજ પાણું રેડે છે, પણ એમ કરવું ભુલ ભરેલું છે—ઝાડને પાણી દેવાનું છે તેના મૂળને પહોંચવાને માટે જ દેવાનું છે, કારણ એનાં મૂળજ પ્રવાહિ રૂપમાં ઝાડ માટે ખોરાક શોધી લે છે. એનાં પાન પાણી પી લેતાં નથી–ઝાડનાં ફૂલ ઉપર પાણી છાંટવાથી ફાય થવાને બદલે ઓર નુક્સાન થાય છે.
18
For Private and Personal Use Only