________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬ ) ફરજ –-૧૧ ઇન્ય ઉડાં અને મથાળે તેટલાંજ પિહેળાં. યુજ—૧૨ ઇન્ય ઉડાં અને મથાળે તેટલાં જ પહોળાં,
એ કુડાં શિવાય નાહાનાં કુલ ઝાડ જથાબંધ ભેગાં વાવવાં માટે છીછરાં એટલે ઉંડાઈમાં થોડાં અને પિહેલાઈમાં વધુ, એવા કુંડાં કરવામાં આવે છે. તેને અંગ્રેજીમાં પ્યાસ કહે છે. તેમજ એક કુંડાંમાં બીજું કુંડુ રહે એવી રીતે ટાવાળાં કુંડાં કરે છે તેને અંગ્રેજીમાં રિંગ પાર્ટ્સ કહે છે. એવાં જટાવાળાં કુંડાં કરવાનો મતલબ એ હોય છે કે, એ બે કંડાં વચ્ચે પણ અગર
કુળ ભરી તેનાથી અંદરના કુંડાના ઝાડ ઉપર એકદમ હવામાં ફારફેર થાય ત્યારે તેની અસર બનતા સુધી ઓછી થાય.
ગુલાબનાં મોટાં ઝાડ તથા એવાં બીજાં ઝાડ વાવવા માટે લાકડાનાં ટબ અગર મોટા કદની નાંદે કરે છે, તેમાં પણ પાના નિકાસ માટે તળિયે વિંધ રાખવા જોઈએ.
નવાં કુંડાં પ્રથમ બગીચામાં આવે એટલે એ કુંડાંને તળિયે જોઈએ તેવાં અને જોઈએ તેટલાં વિંધ છે કે નહીં તેનો તપાસ કરે જોઈએ. જોઈએ તેવાં વિધ ન હોય તે તે પાડી, એ કુંડાંઓને થોડી વાર પાણીમાં પલાળી રાખવાં. જુનાં કુંડામાં ઝાડ વાવવાં હોય ત્યારે તેને પ્રથમ અંદર અને બહારની બાજુ ધઈ સાફ કરવા. નવાં ઝાડ કુંડાંમાં વાવતી વખતે પ્રથમ એ કુંડાને તળિયે કુંડાંની ઊંચાઈના ત્રીજા ભાગમાં નળિયાનાં ઠિકરાં ભરવાં અને તે ઉપર નારિયેળીને કાથાને પાતળો થર દેવો અને એના ઉપર જે જાતની માટી તેમાં વાવવાનાં ઝાડને માફક આવે તેવી ભરી તેમાં ઝાડ વાવવાં.
For Private and Personal Use Only