________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૬ ) તે મૂકવા માટે લાકડાની ઘડી પણ જોઈએ. ઘણું નાજુક જાતના અને બીજા માંદાં ઝાડે મૂકવા માટે કાચનાં ઢાંકણવાળી મોટી પટીઓ અગર બાંધેલ જગે નરસરીમાં જોઈએ; બગીચામાં કુંડાંમાંનાં ફૂલ ઝાડે જેની ઉગમણ પૂરી થઈ હોય તેવાં કુંડાં બીજી
સમમાં તે નવી ફુટ કરે ત્યાં સુધી એક બાજુ સાચવી રાખવા માટે જ જોઈએ. જુદી જુદી જાતનાં ગાંઠેવાળાં ઝાડે જેની ઉગમણ પૂરી થઈને સુકવા લાગ્યાં હશે તે દરેક જાતની ગાંઠો કાઢી લઈ જુદા જુદા નાહાના મોટા કુંડાંમાં અગર નાંદમાં વેકુળ ભરી તેમાં દાટી રાખી તે દરેક કુંડાં ઉપર તે ગાંઠોનાં નામની ચીઠ્ઠી લગાડી તેના ઉપર તડકે અગર વદ ન આવે એવી જગ્યું તે કુંડાં અગર નાંદો રાખવી જોઈએ. કે એની ફુટવાની મેસમ આવે ત્યારે તે નવાં કુંડાંમાં ભરવાને અનુકૂળ પડે. જુદી જુદી જાતનાં નવાં ઝાડે કુંડામાં ફેરવ્યાં હોય તે કુંડાં ઉપર ઝાડનાં નામની ચિઠ્ઠી લગાડી ઘડી ઉપર ગોઠવી રાખવાં જોઈએ. - ચવા માટેનાં વધારાનાં ઝાડ પણ એમાં ઘેડી ઉપર ગોઠવી રાખવા જોઈએ. - નરસરી નજીક કઠણ જાતનાં બીજ વાવી રાપા કરવા માટે અને કઠણ જાતના કલમોના કટકા કયારામાં લાવવા માટે જમીન હેવી જોઈએ. કુંડામાં ફાલતુ ગુલાબ તથા એવાં ઝાડે જે ખુલ્લી હવામાં મૂકવાં જોઈએ તે માટે નરસરીની બહારની બાજુ ખુલ્લી જગ્યા જોઈએ. ત્યાં કુંડાનાં ગુલાબ ઉપર આંખ ચઢાવવાનું કામ પણ થઈ શકે. નરસરીની અંદર પિહેળાશવાળી જગે નવાં ઝાડ કુંડાંમાં ભરવા માટે તથા કુંડાંનાં ઝાડ બીજા કુંડાંમાં ફેરવવાના કામ માટે જોઈએ. એ જગ્યા નજીક ચાળેલ માટી તથા ચાળેલા પાંદડાનું ખાતર, વેરનું ખા.
For Private and Personal Use Only