________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ બજ્યા સુધી બીજ ઉગવાં શરૂ થાય ત્યાંસુધી સાદડીથી ઢાંકી રાખવી. બીજ ઉગવા લાગે એટલે એ સાદડીનો છાંયે એકદમ નહીં પણ ધીમે ધીમે ઓછા કરી કાઢી નાખો અને નવા રેપોને તડકાના હેવાયા કરવા.
ડું અગર નાજુક જાતનું બીજ કુડાંમાં અગર પેટીમાં વાવવું જોઈએ. એ બીજ વાવવાનાં કુંડાં અગર પેટીને તળીએ પાણીના નિકાલ માટે વિધ હોવાં જોઈએ. તેને તળીએ પ્રથમ નળીઆનાં નાહાનાં ઠીકરાં ભરી તે ઉપર એક ભાગ પોચી સુકી માટી, એક ભાગ પાંદડાનું સાવ સડેલ અને ચાળેલ સુકું ખાતર અને પા ભ ગ ઠીકરાનો ભુકો એ ત્રણે હાથથી સરખાં ભેળવી તે કુંડાંમાં ભરવું. અને તેને મથાળે હાથથી સરખું કરી તે ઉપર બીજ વાવવું અને તેના ઉપર ઝીણું માટી છાંટવી અગર ઈંચના એક અષ્ટમાંપ ભાગ જેટલી ઝીણું વેકુળ છાંટવી.
એ બીજ વાવેલ કુંડાં છાંયાવાળી જગ્યામાં રાખી તેને ઝીણે ઝા. રથી સાંજ સવાર પાણી દેવું. ઉપર મુજબ વેકુળ છાંટવાથી પંખી વિગરે બીજનો નાશ કરે છે તેનો અટકાવ થઈ બીજ સારાં ઉગે છે.
કેટલીએક જાતનાં બીજ ઘણાં ઝીણું હોય છે, તે ઘણું ઘાટાં ન વવાય એ માટે એવાં બીજ વાવ્યાં પહેલાં તેની સાથે ઝીણી માટી અગર ઝીણું કુળ ભેળવી, પછી તે છાંટવું એટલે ઘાટુ ઉગશે નહીં.
બીજ વાવ્યા પછી તેના ઉપર તે બીજનાં પરીઘ જેટલી માટી છાંટવી. એ નિયમ સારે છે પણ તે સર્વ જમે સરખે લાગુ કરી શકાશે નહીં. કોઈ પણ બીજ જમીનમાં ચાર ઇંચથી વધારે ઉં નાખવું નહીં.
For Private and Personal Use Only