________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે દીધેલ છાલ સહેલાઈથી તેના લાકડાથી જુદી પડી શકે છે કે નહીં, જો એ સહેલાઈથી જુદી પડે તો એ ઝાડ આંખ ચઢાવવા માટે લાયક છે એવું સમજવું.
જે ઝાડની આંખ બીજ ઝાડ ઉપર ચટાવવા માટે લેવી હોય તેની નવી જોરદાર ડાળી જોઈને એ ડાળી ઉપરની આંખ પસંદ કરવી. એ આંખની બાજુમાં પાંદડું હોય તો તે કાઢી નાંખી તેની દાંડલી (લીફલેટ) એ આંખ સાથે રહેવા દેવી. બાદ એ આંખના ઉપરની બાજુમાં અર્ધ ઈચ અને નિચેની બાજુમાં પિણે ઈચ એ મુજબ એ ડાળીને ભાગ કલમમાંથી છેકે દઈ આંખ સાથે કાઢી લેવો. એવી રીતે આંખ સાથે કાઢી લીધેલ ડાળીના છેડીયામાં કાંઈક લાકડાનો ભાગ હશે તે નખથી અગર આંખ ચઢાવા માટે ખસુસ કરેલ ચાકુની મુંઠ, જે એ લાકડાંથી છાલ જુદી કરવા માટેજ ચપટી કરેલી હોય છે તેથી કાઢી નાંખવે. એ માટે સારી રીત એ છે જે, એ આંખવાળી કાર્ડ ડાબા હાથને અંગુઠે અને આંગળી વચ્ચે ઝાલી તેની છાલ અને લાકડાંના ભાગ વચ્ચે જમણા હાથના અંગુઠાનું નખ અગર આંખ ચઢાવવાના ચાકુના મુંઠની તીક્ષ્ણ ધાર એમાં ભરાવી તે લાકડાંવાળે ભાગ ખેંચી લે. એમ કરતાં એ લાકડાંવાળી છાલને બિલકુલ નમવા દેવી નહીં, કારણ તેમ થવાથી એ આંખને ઇજા પહોંચવાની.
એ મુજબ આંખ તૈયાર કર્યા પછી જે રોપા ઉપર તે ચઢાવવાનીદશે તે રોપા ઉપર જે જમે આંખ ચઢાવવાની હોય તે જગ્યે આંખ ચઢાવવાના ચાકુ વડે T એ પ્રમાણે ઉભો અને આડે ચીરે તે રેપાની છાલમાં કરે. ઉભો ચીરે આશરે દોઢ ઈચ અને આડે.
For Private and Personal Use Only