________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ ) પ્રકરણ ૮ મું.
ઝાડો સરવા વિશે.
PRUNING. ઝાડ સેરવામાં બે હેતુ રહેલા છે, એક તેને સારા આકારમાં લાવવાને અને બીજે તેનાં ફૂલ તથા ફળમાં સુધારો તથા વધારો કરવાનો.
ઝાડ સેરવાના બે પ્રકાર છે. પહેલા તેની ડાળીઓ અને અંકુર સેરવાને, અને બીજે તેનાં કાષ્ટ મૂળ સેરવાનો. પહેલે પ્રકાર ફૂલ ઝાડ અને ફળ ઝાડ બંને સરખે લાગુ છે, પણ બીજે પ્રકાર ફક્ત ફળ ઝાડને લાગુ છે. એટલે ફૂલ ઝાડ અને ફળ ઝાડ એ બની ડાળીઓ સેરાય છે પણ મૂળ ફક્ત ફળ ઝાડનાં સોરાય છે.
ડાળીઓ સોરવાના મુખ્ય બે પ્રકાર છે. એક જે મરેલી, નબળી અને વધારાની ડાળીઓ હોય તે કાપી નાંખવી એ. અને બીજે ડાળીઓના છેડાને અંકુર કાપવા તે. પહેલા પ્રકારનું સેરવાનું કામ ઝાડને ફાલ અગર ફૂલને બહાર આવી ગયા પછી અને જ્યારે ઝાડ આરામમાં હોય છે, એટલે તે જ્યારે જેરમાં ઉગતું હોતું નથી ત્યારે કરવું જોઈએ, કારણ એ વખતે ઝાડને રસ જોરથી ચઢત નથી, અને તેથી એની ઉપર લખેલ જાતેની ડાળીઓ કાણાથી તેમાંથી વિશેષ રસ નિકળી જતો નથી. અને કાપેલ જગ્યાને જખમ તુરત રૂઝાઈ જાય છે. એ સારવાનું કામ જ્યારે ઝાડ જેરમાં ઉગતું હોય ત્યારે કરવામાં આવે
For Private and Personal Use Only