________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) જોતના રોપા થાય છે. ખાટખટુંબડાને તે પાનની કિનારીને જરા કટકે વાવ્યાથી પણ ટુંક મુદતમાં નવું ઝાડ થાય છે.
એક ઝાડ ઉપર તેજ કુટુંબની જુદી જુદી જાતની આંખ અગર કલમ એક વખતે ચઢાવી શકાય છે. તેમજ એક ઝાડનાં થડ ઉપર તેજ કુટુંબનાં જુદી જુદી જાતનાં ઝાડનાં ગ્રાફટ કરી શકાય છે. જેમ એક ગુલાબનાં ઝાડ ઉપર ધોળા, રાતા, પીળા, સિંદુરીઆ ગુલાબી વિગેરે જુદા જુદા રંગના ગુલાબની આંખે ચઢાવી તેનો વિસ્તાર કરી શકાય છે. તેમજ એક દેડીંગા લિંબુના ઝાડ ઉપર નારંગી, પપનસ, ખાટાં લિંબુ, બીજોરાં વિગેરેની આંખે ચઢી શકે છે અને જે લોકોને આંખ ચઢાવવાની યા ગ્રાફટ વિગેરે કરવાની માહિતી હોતી નથી તેમને એક ઝાડ ઉપર તરતરેહના રંગને ફલ તેમજ એક ઝાડ ઉપર જુદી જુદી જાતના ફળ આવેલા જોઈ આશ્ચર્ય થાય છે.
For Private and Personal Use Only