________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કટકાથી ફકત થોડી જાતનાં ઝાડને વધારે થઈ શકે છે, પણ દાખની કલમથી તો ઘણું ખરાં ઝાડને વધારે થઈ શકે છે.
દાખની કલમ યાને લેઅરીંગ કરવાની રીત નિચે મુજબ છે.
(૧) જે ઝાડની દાખની કલમ કરવી હોય તેની એક જોરદાર પાકેલ લાકડાંવાળી ડાળ, જે ભાંગ્યા શિવાય વળી શકે એવી જમીન નજીકની પસંદ કરવી. એ ડાળ ગેળામાં જમીન તરફની બાજુમાં વાળી તે જ્યાં જમીનને અડે ત્યાં એટલે એ ડાળના આ શરે અર્ધ વચાળે તેની આંખની નજીકમાં, આંખથી થડ તરફની બાજુમાં તેની છાલમાં એક ઈચ લંબાઈમાં ફરતો છેકો દઈ તેની ફરતી છાલ ચાકુ વડાએ કાઢી નાંખવી અને એ છાલ કાઢેલ ડાળનો ભાગ ત્રણ ચાર ઈચ જમીનમાં દબાવી તે ઉપર માટી નાંખી દબાવી રાખવી. અને તે ઉપર એક પત્થર મુકી દબાવવી અગર તેની બાજુમાં મેખ ખેડી તેની જોડે તે જમીનમાંથી ખસે નહીં એવી રીતે બાંધી રાખવી. એ દબાવેલ જગે વખતે વખત પાણી દઈ તે જમીન હમેશ ભિની રહે તેમ તજવીજ રાખવી એટલે એ છાલ ઉતારેલ જગે એ ડાળ મૂળ મુકશે. (આકૃતિ ૩જી જુઓ.)
જે કલમ દબાવવાની તે જ્યારે જમીનથી છેટે હોય અને ઉપર લખ્યા મુજબ જમીનમાં દબાવાય તેમ નહીં હોય ત્યારે તેના નિચે એક ઘડી અગર ઊંધું કુંડું મુકી તે ઉપર એક કુંડું માટી ભરીને એ ઝાડ એમાં દબાવાય એવી રીતે રાખવું. એ કુંડની ડાળની બાજુના કાંઠે ભાંગી તેમાં પ્રથમ જણાવ્યા મુજબ એ ડાળ એક ઈચમાં ફરતી છાલ ઉતારી તે દબાવી રાખવી અને કુંડાંની માટી હમેશ સારી પેઠે ભિની રહે તેવી રીતે તેને પાણી દેવું (આકૃતિ ૪થી જુઓ.)
For Private and Personal Use Only