________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ ) પ્રકરણ ચોથું.
બીજ.
SEED.
બગીચા માહેલાં ઘણું ઝાડે તો કલમના કટકા વાવ્યાથી, દાબની કલમથી તથા આંખે વિગેરે ચઢાવ્યાથી થાય છે. પણ એવાં કેટલાંએક ઝાડો છે કે, જે બીજથી કરીએ તે જ સારાં થાય છે. અન્યુઅલ્સ એટલે વર્ષાયુ ફૂલ ઝાડ તથા શાક ભાજીના પા તો બીજ વિના થતાજ નથી. તેથી બીજ વિશે અહીં માહિતી આપવી અવશ્ય છે.
બીજ એ ગર્ભધારી ઝાડ છે અને એમાં ઝાડના અવશ્ય અવયવ એટલે મૂળ, થડ, અને પાન અતિ બાલ્યાવસ્થામાં હોય છે. એ બીજ ઉગવા માટે ભિનાસ, ગરમી, હવા અને અંજવાળાની જરૂર છે. ઘણાં બીજ ઉગાડવા માટે અંજવાળાથી દૂર રાખવાં પડે છે. બીજ સારાં હોય અને તેને જોઇતી ભિનાસ, ગરમી, હવા અને અંજવાળું મળે છે તે જરૂર ઉગવાનાંજ. બીજમાં પ્રથમ ઝાડ ઉગે, તે નવાં ઝાડને તેના બાલ્યાવસ્થામાં પિષણ મળે એવો ખેરાક પણ હોય છે.
એક વટાણનું અગર વાલોળનું પલળેલ બીજ લઈને જુવો. એ બીજના ઉપલા ભાગ ઉપર એક ડાઘા જેવું હોય છે, અને તેનો રંગ એ બીજ ઉપર જે છોતરૂં હોય છે, અને જેને અંગ્રેજીમાં
સ્ટા કહે છે તેના કરતાં જુદો હોય છે. એ ડાઘાને અંગ્રેજીમાં હિલમ કહે છે. - એ બીજ ઉપરનું છોતરૂં સહેલાઈથી બીજથી જુદુ
For Private and Personal Use Only